________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
थिरकरणा पुण थेरो पवत्तिवावारिएसु अत्थेसु ।
जो जत्थ सीआइ जई, संतबलो तं थिरं कुणइ ॥ २ ॥ [ व्य० भाष्य- १/३३२ ] સ્થિર કરવાથી સ્થવિર કહેવાય છે અને કાર્યમાં પ્રવૃત્તિ કરાવવાથી પ્રવર્તી કહેવાય છે. જે સાધુ જ્યાં સીદાતો હોય તે સાધુને જો પોતાનું સામર્થ્ય હોય તો ત્યાં સ્થિર કરે.(૨) આ પ્રમાણે સ્થિરીકરણ નામનો દર્શનાચારનો છઠ્ઠો ભેદ કહ્યો. સાધર્મિકવાત્સલ્ય દર્શનાચાર
૧૫૧
તથા સાધર્મિકવાત્સલ્ય કરવું જોઇએ. તેમાં સમાન ધર્મવાળા હોય તે સાધર્મિક કહેવાય. સાધુ-સાધ્વી પ્રવચન અને લિંગ એમ બંનેથી સાધર્મિક છે. જ્યારે પ્રવચનથી શ્રાવક-શ્રાવિકા પણ સાધર્મિક છે. ચારે પ્રકારના સાધર્મિકોમાં સાધુ-સાધ્વીનું અને વિશેષ કરીને આચાર્ય, ગ્લાન, પ્રાણૂર્ણક (વિહાર આદિ દ્વારા પધારેલા સાધુ-સાધ્વી રૂપ મહેમાનો), તપસ્વી, બાલ, વૃદ્ધ, નૂતનદીક્ષિત વગેરેનું તથા પુષ્ટ આલંબનને આશ્રયી શ્રાવક વગેરેનું પણ સર્વશક્તિથી દ્રવ્ય અને ભાવ એમ બંને રીતે તે તે રીતે ઉપકાર કરવા આદિ દ્વારા વાત્સલ્ય કરવું જોઇએ. અને શ્રાવકે શ્રાવક અને શ્રાવિકાનું પણ યથાયોગ્ય વાત્સલ્ય કરવું भेजे. भेथी ऽह्युं छेडे,
संघयणकालबलविरिअपगरिसाभावओ सुगीआणं ।
सज्जो सज्जोगीण व विलिज्जए संजमुज्जोगो ॥ १ ॥
किं पुण तक्कालपवन्नदिक्खसाहूण बालजोगीणं । होइज्ज न सो अभिनवधम्माणं सडसड्डीणं ॥ २ ॥ ता ता पाणभोअण-ओसहवत्थाइदाणओ कुज्जा । वच्छल्लं सविसेसं, विगिट्ठतवबालयाईणं ॥ ३ ॥ वच्छल्लभावउ च्चिअ, अथिरा धम्मे थिरत्तणमुविंति । पुव्वं चेव थिरा पुण, थिरतरगा उज्जमंति दढं ॥ ४ ॥ लोऽवि साहुवाओ, नज्जंति विभिन्नदेसजाईवि । जिणसासणं पवन्ना, एंगकुडुम्बोववन्न व्व ॥ ५ ॥ ताणं च ऊसवाइसु, सरणं दिट्ठाण पुव्वमालवणं । तह वत्थपाणभोअण-सक्कारो सव्वसत्तीए ॥ ६ ॥