________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
૧૭૫
હંસ જેવી ગતિવાળી હોવાના કારણે પ્રગટ રૂપને ધારણ કરનારી જાણે ભારતી હતી, પરંતુ કન્યાપણામાં પણ તે કમળને હાથમાં ગ્રહણ કરવાની મતિવાળી ન હતી. જે અતિ આશ્ચર્યને ઉત્પન્ન કરનારા શ્રેષ્ઠ મહિમાનું ઘર હોવાના કારણે અને સર્વપ્રસિદ્ધ સતીપણાથી જાણે રૂપવાળી પાર્વતી હતી. પરંતુ ક્યારે પણ શંકરની સંગતી કરનારી ન હતી. જે ઉત્તમ પુરુષોના હૃદયને હરણ કરવાના ગુણવાળી હોવાથી અને સર્વજનને આનંદ કરનારી હોવાથી જાણે પ્રત્યક્ષ લક્ષ્મી હતી. પરંતુ જરા પણ ક્યારે પણ ચંચલ ન હતી. જે સ્વયં નિર્મલ હોવાના કારણે અને સંગમાં આવેલા બીજાઓને નિર્મલ કરવાના કારણે જાણે માનુષીના રૂપવાળી ગંગા હતી. પરંતુ ક્યારે પણ જલનો સંગ્રહ કરનારી ન હતી. જે કલાવંતોમાં કરેલી રુચિવાળી હોવાના કારણે અને માર્ગને અનુસરનારી હોવાના કારણે જાણે ભૂમંડલ ઉપર ઉતરેલી રોહિણી હતી. પરંતુ ક્યારે પણ રાત્રિના ઉદયને કરનારી ન હતી. અથવા તો દુષ્ટગ્રહના સંગને ધારણ કરનારી ન હતી. મેરુ પર્વતની ગુફામાં કલ્પવૃક્ષની જેમ તેની કુક્ષી રૂપી ગુફામાં દેવલોકમાંથી ચ્યવેલો તે વાનરનો જીવ અવતર્યો. ત્યારે તે મણિમાલાએ સ્વપ્રમાં અતિમોટા તે જ અરુણ ભવનને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો કે જે ભવનમાં તે જ વાનરના જીવે પૂર્વે દેવપણાનો અનુભવ કર્યો છે.
હવે તે ભવનને અનુસાર અતિશય તેજસ્વીપણું, પરમ મહિમાપણું, અતિ આશ્ચર્યકારી ઋદ્ધિનું સમૃદ્ધપણું, સમગ્રજનને આધારભૂતપણું વગેરે સર્વગુણથી સંપૂર્ણ સંપત્તિની ચાડી ખાનારા મહાશકુનની જેમ મનોવાંછિત અર્થલાભને સાધનારા તે મહાસ્વપ્રથી અતિ હર્ષિત મનવાળી, અતિ રોમાંચના કારણે રોમ અંકુર વિકસિત થયા છે એવા દેહરૂપ આંગણવાળી જેવી રીતે મહાકવિની વાણી પ્રશસ્ત મહા અર્થવાળા સંદર્ભને વહન કરે=ધારણ કરે તે રીતે સુખે સુખે તે ગર્ભને વહન કરતી અને દરરોજ ગર્ભની વૃદ્ધિથી કુશપણાને પામતી હોવા છતાં પણ અલ્પાક્ષર અને મહાર્ણવાળા ગ્રંથની યુક્તિની જેમ વિશેષથી શોભતી ગર્ભના પ્રભાવથી પ્રચંડખડ્ઝ (તલવાર)ને હાથમાં ધારણ કરું, તેની ધારમાં પોતાના મુખને જોઉં, નગરમાં પોતાની આજ્ઞા પ્રવર્તાવું, સર્વ રાજયની ચિંતા કરું, બળવાન એવા પણ શત્રુ સૈન્યને લીલા માત્રથી ત્રાસ પમાડું, સર્વ પ્રકારે ધર્મવિધિને આરાધું વગેરે રાજાની કૃપાથી તત્કાલ જ સફળ થયેલા વિવિધ દોહલાઓથી પરમ આનંદને અનુભવતી ક્રમે કરી દિવસ પૂર્ણ થયે છતે, ગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહે છતે મુહૂર્ત વેળાએ જેવી રીતે નંદનવનની રત્નની ખાણ દિવ્યરત્નને ઉત્પન્ન કરે તેવી રીતે તે રાણીએ સુખપૂર્વક સર્વજનને આનંદ આપનારા પુત્રને જન્મ આપ્યો.
રાજા પણ પુત્રજન્મની વધામણી આપનારી દાસીને મુકુટને છોડીને પોતાના સર્વ અંગના આભરણોને આપવું, ચાવજીવ તે દાસીને દાસીકર્મથી છોડવી, સમગ્ર કારાગારની