________________
આચારપ્રદીપ
વ્રતોમાં ન અવતરે (=ન સમાય) અર્થાત્ બધું જ તેમાં સમાય છે. જેથી કહ્યું છે કે– पढमंमि सव्वजीवा, बीए चरमे अ सव्वदव्वाइं ।
सेसा महव्वया खलु तदेगदेसेण नायव्वा ॥ १ ॥ [ पंचकल्प भा०गा० १२६ ]
૨૨૪
પહેલા મહાવ્રતમાં સર્વ જીવોનો સમાવેશ થઇ જાય છે. બીજા અને છેલ્લા (પાંચમા) મહાવ્રતમાં સર્વ દ્રવ્યોનો સમાવેશ થઇ જાય છે. બાકીના મહાવ્રતો તે દ્રવ્યોના એક દેશથી જાણવા.
આથી અર્થથી સર્વ પણ પ્રવચન અહીં સમાયેલું છે. ભાષાસમિતિ તો સાવદ્ય વચનનો ત્યાગ કરવાથી નિરવદ્ય વચન બોલવા સ્વરૂપ છે. અને તેથી સકલ પણ વચનપર્યાય આક્ષિપ્ત જ છે. દ્વાદશાંગી વચનપર્યાયથી ભિન્ન નથી. અર્થાત્ દ્વાદશાંગી વચનપર્યાય રૂપ છે અને વચનપર્યાય ભાષાસમિતિની અંતર્ભૂત છે.
આ પ્રમાણે એષણાસમિતિ વગેરેમાં પણ પોતાની બુદ્ધિથી વિચારવું. અથવા તો આ બધી (સમિતિઓ અને ગુપ્તિઓ) ચારિત્ર સ્વરૂપ છે. જેથી યોગશાસ્ત્રમાં કહ્યું છે કે—
सर्वसावद्ययोगानां, त्यागश्चारित्रमिष्यते ।
कीर्त्तितं तदहिंसादिव्रतभेदेन पञ्चधा ॥ १ ॥ (योगशास्त्र १ - १८ )
સર્વ સાવદ્ય યોગોનો(=પાપ વ્યાપારોનો) ત્યાગ કરવો તેને જ્ઞાનીઓએ ચારિત્ર કહ્યું છે. તે ચારિત્ર અહિંસા આદિ વ્રતના ભેદથી પાંચ પ્રકારનું છે. (૧-૧૮)
अथवा पञ्चसमितिगुप्तित्रयपवित्रितम् ।
चरित्रं सम्यक् चारित्रमित्याहुर्मुनिपुङ्गवाः ॥ २ ॥ (योगशास्त्र १ - ३४ )
અથવા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર થયેલું ચારિત્ર સમ્યક્ ચારિત્ર છે. એમ ઉત્તમ મુનિ ભગવંતોએ કહ્યું છે. (૧-૩૪)
सर्वात्मना यतीन्द्राणामेतच्चारित्रमीरितम् । यतिधर्मानुरक्तानां, देशतः स्यादगारिणाम् ॥ (योगशास्त्र १ - ४६ )
સર્વ પાપવ્યાપારથી વિરામ પામવા રૂપ ઉપર્યુક્ત ચારિત્ર ઉત્તમ યતિઓને સર્વથી હોય છે અને યતિધર્મના અનુરાગી એવા ગૃહસ્થોને દેશથી હોય છે.
જ્ઞાન અને દર્શન વિના ચારિત્ર હોતું નથી અને પરમાર્થથી વિચારવામાં આવે તો જ્ઞાન-દર્શન-ચારિત્રથી ભિન્ન દ્વાદશાંગી નથી. અર્થાત્ દ્વાદશાંગી જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ