________________
૨૨૨
આચાપ્રદીપ ઉપસર્ગોના પ્રસંગે પણ કાયોત્સર્ગમાં રહેલા મુનિના શરીરનું સ્થિરપણું તે કાયગુપ્તિ કહેવાય છે. शयनासननिक्षेपा-दानचङ्क्रमणेषु च । स्थानेषु चेष्टानियमः, कायगुप्तिस्तु साऽपरा ॥ २ ॥ (योगशास्त्र १-४४)
શયન, આસન, મૂકવું, લેવું, ચાલવું અને ઊભા રહેવું આ બધામાં ચેષ્ટાનું નિયમન કરવું તે બીજી કાયમુર્તિ છે. કાયમુર્તિ પૂર્ણ થઇ.
અહીં સમિતિઓ પ્રવીચાર સ્વરૂપ છે અને ગુણિઓ પ્રવીચાર અને અપ્રવીચાર સ્વરૂપ છે. પ્રવીચાર એટલે કાયિક અને વાચિક વ્યાપાર. કુશલ અને નિરવદ્ય આદિ ગુણોથી યુક્ત વાણીને બોલતો સમિત છે, અને ગુમિ પ્રવીચાર રૂપે પણ કહેલી હોવાથી ગુપ્ત પણ છે. આથી સમિત નિયમા ગુપ્ત છે. પણ ગુપ્ત તો સમિતપણામાં નિયમા વિકલ્પ કરવા યોગ્ય છે. કારણ કે એકાગ્ર મનવાળો જે કાયયોગનો અને વચનયોગનો નિરોધ કરીને ધર્મમાં શુભ મનોયોગની ઉદીરણા કરે છે ત્યારે તે ગુપ્ત છે પણ સમિત નથી. કારણ કે સમિતિ પ્રવીચાર સ્વરૂપ છે. (અને અહીં પ્રવીચાર નથી.) અને જે કાયયોગને અને વચનયોગને સારી રીતે જોડે છે તે ગુપ્ત પણ છે અને સમિત પણ છે. જેથી કલ્પભાષ્યમાં કહ્યું છે કેसमिओ नियमा गुत्तो, गुत्तो समिअत्तणंमि भइअव्वो। कुसलवइमुदीरंतो जं वइगुत्तोऽवि समिओऽवि ॥१॥[बृहत्कल्प सूत्र-४४५१]
સમિત નિયમા ગુપ્ત છે અને ગુપ્ત સમિતપણામાં વિકલ્પ કરવા યોગ્ય છે. કુશલ વચનને બોલતો વચનગુપ્ત પણ છે અને સમિત પણ છે. जो पुण कायवईओ निरुज्झ कुसलं मणं उदीरेइ । चिट्ठइ इक्कग्गमणो सो खलु गुत्तो न समिओ उ॥२॥[बृहत्कल्प सूत्र-४४५२]
જે કાયયોગનો અને વચનયોગનો નિરોધ કરીને કુશલ મનની ઉદીરણા કરે છે અને એકાગ્રમનવાળો રહે છે તે ગુપ્ત છે પણ સમિત નથી. સમિતિઓનો ગુપ્તિઓમાં અંતર્ભાવ પણ થાય છે. જેથી ત્યાં જ=કલ્પભાષ્યમાં જ કહ્યું છે કેवाइगसमिई बिइआ तइआ पुण माणसा भवे समिई। सेसाउ काइआओ मणो अ सव्वासु अविरुद्धो ॥१॥[बृहत्कल्प सूत्र-४४५३]