________________
આચારપ્રદીપ
કહું છું કે આ સતીઓમાં અગ્રેસર થશે. આ પ્રમાણેના તેના વચનને સાંભળીને મંત્રીએ સત્યને કહેનારા સંકેતોથી તે સત્ય જ છે એમ નિશ્ચય કરીને તે સામુદ્રિકનો સત્કાર કરીને તે પુત્રીને બહુમાની.
૨૨૬
તે પુત્રી વિવાહને યોગ્ય થયે છતે તેણીના પિતાએ આ પ્રમાણે વિચાર્યું કે, આપવા યોગ્ય વસ્તુની જેમ=ભેટણાની જેમ વિદ્વાનની ઉક્તિથી આ કન્યા કોઇ પણ રાજાને આપવી જોઇએ. બીજા શ્રેષ્ઠ રાજાઓ તો અતિશય દૂર દેશાંતરનો આશ્રય કરીને રહેલા છે. અને નજીકમાં રહેલા સર્વે પણ રાજાઓ આ સહસ્રવીર્ય રાજાના સેવકો છે. તેથી હું આ કન્યા આ રાજાને આપું, પરંતુ આ રાજાને પહેલા પણ શ્રેષ્ઠ રાણીઓ છે. મારી પુત્રી શ્રેષ્ઠ નથી તેથી તેનો આદર ક્યાંથી થશે ? ખરેખર ! કપૂર, કસ્તૂરી વગેરે ઘણી હોય તો તેનો પણ અનાદર થાય છે. અને હિંગ, લવણ વગેરે થોડું હોય તો તેનો પણ અતિ આદર થાય છે. વસ્તુ પ્રમાણમાં ઘણી હોય પણ જો તે વિશિષ્ટ હોય તો કોઇને પણ અનિષ્ટ થતી નથી. અતિ ઘણી પણ સાકર ક્યાંય પણ કાકરા જેવી લાગતી નથી. વિશિષ્ટ વસ્તુ ઘણી હોય ત્યારે સામાન્ય વસ્તુ માનનીય થતી નથી. કપૂર જેવા ઉજળા ભાતથી તૃપ્ત થયેલાને કદશમાં=ખરાબ ભોજનમાં રાગ કેવી રીતે થાય ? છતાં પણ કન્યા અને વિદ્યા શ્રેષ્ઠ સ્થાને યોજેલી યોજનારની કીર્તિ માટે થાય છે. અન્યથા વિપર્યય થાય છે. અર્થાત્ શ્રેષ્ઠ સ્થાને યોજવામાં ન આવે તો યોજનારની અપકીર્તિ માટે થાય છે. આ પ્રમાણે વિચારતા તેણે રાજાને જાણે ભેટણું ન આપતો હોય તેમ તે કન્યા આપી. મંત્રીશ્વરની દાક્ષિણ્યતાથી રાજા પણ તે કન્યાને પરણ્યો. પરંતુ જાણે ગુસ્સે થયેલો ન હોય તેમ રાજાએ અંતઃપુરમાં રહેલી દાસીની જેમ તેની સન્મુખ પણ લાંબાકાળે પણ ન જોયું.
કોઇક દિવસે રાજાએ મંત્રીશ્વરને કહ્યું: તને મારા આ બધા પુત્રોમાંથી રાજ્યને યોગ્ય કયો પુત્ર લાગે છે ? તેણે પણ કહ્યું કે, હે રાજન્ ! આ આપ જ જાણો. પિતા પુત્રના અને પુત્ર પણ પિતાના સ્વરૂપને સારી રીતે જાણનારો હોય છે. રાજાએ કહ્યું: હે મહામાત્ય ! તારી વાત સાચી છે. પરંતુ મારવાડમાં જેવી રીતે વૃક્ષ ન દેખાય તે રીતે આ બધા પુત્રોમાં સંપૂર્ણ ગુણવાળો એક પણ દેખાતો નથી. ન્યાય, વિનય, પરાક્રમ, ઇન્દ્રિયદમન, ઔદાર્ય, ગાંભીર્ય, ધૈર્ય, ચાતુર્ય, તેજ, સ્થિરતા, વિદ્યા, વ્યસનરહિતતા, યશ, અર્થીપણું, નિર્લોભતા, સૌભાગ્ય, કૃતજ્ઞતા, સુકૃતશીલતા, સુકુલ, આજ્ઞાતત્પરતા, જનસંમતિ આ બધા રાજ્ય યોગ્યના ગુણો છે. અને આ પુત્રો અસંપૂર્ણ ગુણવાળા છે. અર્થાત્ સંપૂર્ણ ગુણવાળા નથી. પરંતુ એક, બે, ત્રણ, ચાર ગુણવાળા છે. અગુણમાં અને અસંપૂર્ણગુણમાં રાજ્યની યોગ્યતા માનેલી નથી. બીજ, રાજ્ય, બળ, દાન, વૃષ્ટિ, વિદ્યા અને હિતોક્તિ સત્પાત્રમાં સફળ આપે છે અને અસત્પાત્રમાં અસત્ફળ આપે છે. મંત્રીએ