________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
તેમાં ગ્લાન, માર્ગથી થાકેલા અને વૃદ્ધ વગેરેને છોડીને બાકીના સાધુને રાત્રે જ સૂવાનું છે. દિવસે સૂવાનું નથી. રાતે પણ પહેલો પહોર પસાર થયે છતે ગુરુને પૂછીને પ્રમાણયુક્ત વસતિમાં ભૂમિને જોઇને અને પ્રમાર્જીને સંથારો અને ઉત્તરપટ્ટો એ બેને ભેગા કરીને અને પાથરીને મસ્તક અને પગથી સહિત નીચેની કાયાને મુહપત્તિ અને રજોહરણથી પ્રમાર્જીને અર્થાત્ મસ્તકને મુહપત્તિથી અને નીચેની કાયાને રજોહરણથી પ્રમાર્જીને રજા અપાયેલા સંથારા (રજા અપાયેલી સંથારાની ભૂમિ ઉપર પાથરેલા સંથારા) ઉપર રહેલો, નમસ્કાર મહામંત્ર અને કરેમિ ભંતે સ્વરૂપ સામાયિક સૂત્ર જેણે બોલ્યું છે એવો, જેણે બાહુનું ઓશીકુ કંર્યું છે એવો, જેણે જાનુને સંકોચ્યા છે એવો અથવા કુકડીની જેમ આકાશમાં પોતાની જંઘા (પગ) કર્યા છે એવો અથવા પૃથ્વીતલને પ્રમાર્જીને પૃથ્વી ઉપ૨ જેણે પગને સ્થાપન કર્યા છે એવો, ફરી જ્યારે પગને સંકોચવા હોય ત્યારે પગ વગેરેના સાંધાને પ્રમાર્જન કર્યા છે એવો અને પડખું ફેરવવાના કાલે મુહપત્તિથી જેણે કાયાનું પ્રમાર્જન કર્યું છે એવો સાધુ અત્યંત તીવ્ર નિદ્રાથી નહીં પણ તરત જાગી જવાય તેવી નિદ્રાથી સૂવે.
૨૨૧
પ્રમાણયુક્ત વસતિ તેને કહેવાય કે જ્યાં ત્રણ હાથ પ્રમાણ પૃથ્વીમાં ભાજનથી સહિત દરેક સાધુ જ્યાં રહે અને એ રીતે સંપૂર્ણ જગ્યા પૂરી ભરાઇ જાય. જે પ્રદેશમાં બેસવા માટે ઇચ્ચું હોય તે પ્રદેશને ચક્ષુથી જોઇને અને રજોહરણથી પ્રમાર્જીને બહારની નિષદ્યા (રજોહરણ ઉપર બાંધવામાં આવતુ ઓઘારિયું) પાથરીને બેસે. આ પ્રમાણે બેઠેલો પણ જ્યારે આકુંચન અને પ્રસારણ વગેરે કરવાનો પ્રસંગ આવે ત્યારે ચક્ષુથી જોઇ અને રજોહરણથી પ્રમાર્જીને આકુંચન, પ્રસારણ વગેરે કરે. વર્ષા વગેરે કાળમાં પીઠ આદિ ઉપર બેસવાનું થાય ત્યારે શાસ્ત્રોમાં કહેલી સામાચારી પૂર્વક બેસે. દાંડા વગેરેને મૂકવાનું અને ગ્રહણ કરવાનું પણ ચક્ષુથી જોઇ અને રજોહરણથી પ્રમાર્જીને કરવું જોઇએ. આવશ્યક પ્રયોજનવાળા સાધુનું ગમન પણ ત્યારે જ પ્રશસ્ત બને કે જ્યારે તે આગળ યુગમાત્ર (=ચાર હાથ પ્રમાણ) પ્રદેશમાં દૃષ્ટિ મૂકીને ચાલતો હોય, અપ્રમત્ત પણે ચાલતો હોય, ત્રસ, સ્થાવર જીવોની રક્ષા કરતો ચાલતો હોય, અત્વરાથી=ધીમે ધીમે પગ મૂકી ચાલતો હોય, ઊભા રહેવા સ્વરૂપ સ્થાન અને ટેકો લેવું વગેરે ચક્ષુથી જોયેલા અને રજોહરણથી પ્રમાર્જેલા પ્રદેશમાં કરવું જોઇએ. ઇન્દ્રિયોને પણ પોત પોતાના વિષયમાં રાગ, દ્વેષ વગેરેનું કારણ ન બને તે રીતે પ્રવૃતિ કરાવવી યોગ્ય છે. યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે—
उपसर्गप्रसङ्गेऽपि, कायोत्सर्गजुषो मुनेः ।
સ્થિરીમાવ: શરીરસ્ય, વાયવુત્તિનિહતે । શ્ ॥ (યોગશાસ્ત્ર ૧-૪૩)