________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
૨૧૯
संरंभ समारंभे, आरंभे अ तहेव य ।
मणं पवत्तमाणं तु, निअत्तिज्ज जयं जई ॥ १ ॥ [ उत्तरा० अ० २४. गा० २१]
સાધુ સંરંભ, સમારંભ તેમજ આરંભમાં પ્રવર્તતા મનને યતનાપૂર્વક પાછું વાળે.
સંરંભ એટલે સંકલ્પ અને તે માનસિક છે. હું તે રીતે વિચારીશ કે જેથી આ મરશે. આવા પ્રકારનો માનસિક સંકલ્પ તે સંરંભ છે. સમારંભ એટલે પરને પીડા કરનારું ઉચ્ચાટન વગેરેનું કારણ એવું ધ્યાન. આરંભ– આરંભ એટલે અત્યંત ક્લેશથી બીજાના પ્રાણહરણ કરવામાં સમર્થ એવું અશુભ ધ્યાન.
બીજી મનોગુપ્તિ– ધર્મધ્યાનાનુબંધિની. ધર્મધ્યાન ચાર પ્રકારનું છે. (૧) આજ્ઞાવિચય— પરમપદ(=મોક્ષ)ની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સર્વાર્થસિદ્ધિના બીજભૂત અને સર્વજીવને હિતકારી એવી ભગવાનની આજ્ઞાનું ચિંતન કરવું. (૨) અપાયવિચય— રાગ, દ્વેષ, કષાયથી કલુષિત થયેલા જીવોને આ ભવમાં અને પરભવમાં પણ વિવિધ અપાયની પ્રાપ્તિ થાય છે એમ ચિંતવ ં. (૩) વિપાકવિચય– પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ(=રસ)ના ભેદથી ભિન્ન ાભન્ન શુભ-અશુભ કર્મના વિપાકનું ચિંતન કરવું. (૪) સંસ્થાનવિચય– ભૂ(=પાતાળ-અધોલોક), પૃથ્વી(=પૃથ્વીલોક-મધ્યલોક) અને સ્વર્ગ (=ઊર્ધ્વલોક) એમ ત્રણ લોક સ્વરૂપ ચૌદ રાજ પ્રમાણ લોક અને તેમાં રહેતા જીવ આદિના સ્વરૂપનું ચિંતન કરવું.
ત્રીજી મનોગુપ્તિ– શુક્લધ્યાનને અનુસરનારી અને યોગનિરોધ અવસ્થામાં થનારી. શુક્લધ્યાન ચાર પ્રકારનું છે—
(૧)પૃથવિતર્ક સવિચાર– દ્રવ્યાસ્તિકાય વગેરે નયોથી એક દ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ આદિ પર્યાયોનું ચિંતન કરવું તે પૃથવિતર્ક સવિચાર નામનું શુક્લધ્યાન છે.
(૨)એકત્વવિતર્ક અવિચાર– એક પર્યાયમાં ઉત્પત્તિ-સ્થિતિ-વિનાશ આદિનું ચિંતન કરવું તે એકત્વવિતર્ક અવિચાર નામનું શુક્લધ્યાન છે.
(૩)સૂક્ષ્મક્રિયા અનિવર્જિ– મોક્ષગમનના નજીકના કાળમાં મનોયોગ અને વચનયોગ આ બે યોગનો નિરોધ કરે છતે અને કાયયોગનો અર્ધો નિરોધ કર્યો હોવાથી ઉચ્છ્વાસ-નિશ્વાસ આદિ સૂક્ષ્મ ક્રિયાવાળા કેવલિ ભગવંતને આ સૂક્ષ્મક્રિયા અનિવર્જિ નામનું શુક્લધ્યાન હોય છે.