________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
ફક્ત ગતિ કરનારને જ ઇર્યાસમિતિ છે એવું નથી પરંતુ બેઠેલાને પણ પરાવર્તન કરાતા ઘણા ભાંગાવાળા શ્રુતમાં ભાંગા વગેરેની રચના કરવામાં=ભાંગા વગેરેને ગણવામાં જે હાથ વગેરેની ચેષ્ટા થાય છે તે પણ પરિસ્કંદરૂપ હોવાના કારણે ઇર્યાસમિતિ છે. જેથી શ્રી કલ્પભાષ્યમાં કહ્યું છે કે,
जाविअ ठिअस्स चिट्ठा, हत्थाईणं तु भंगिआईसुं ।
सावि य इरिआसमिई न केवलं चंकमंतस्स ॥ १ ॥ [ बृहत्कल्प - गा० ४४५५ ] અર્થ ઉપર પ્રમાણે જ છે.
આ પ્રમાણે ઇર્યાસમિતિનું વર્ણન પૂર્ણ થયું.
ભાષાસમિતિ સંબંધી ચારિત્રાચાર
13
૨૦૧
સાધુએ ક્રોધ, માન વગેરે સ્થાનો હંમેશા ત્યાગ કરવા જોઇએ. વિશેષ કરીને બોલતી વખતે તો તેનો ત્યાગ કરવો જ જોઇએ. જેથી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે,
कोहे माणे य मायाइ, लोभे अ उवउत्तया ।
હામે થયમોહત્િ, વિજ્ઞાસુ તહેવ ય ॥ ↑ [ અ૨૪T૰૧]
एयाइं अट्ठ ठाणाई, परिवज्जित्तु संजए ।
અસાવi મિત્રં જાને, મારું માસિન્ન પન્નવં ॥ ૨ ॥ [૬૨૪[૨૦]
ક્રોધ, માન, માયા અને લોભ તથા હાસ્ય, ભય, મુખરતા અને વિકથા આ આઠ સ્થાનોમાં ઉપયોગની તત્પરતા એટલે કે ઉપયોગની એકાગ્રતાને છોડીને વિદ્વાન સાધુ અવસરે અસાવદ્ય અને મિત ભાષા બોલે.
આની વ્યાખ્યા આ પ્રમાણે છે– ક્રોધમાં– અતિ ગુસ્સે થયેલો પિતા પુત્રને કહે કે તું મારો પુત્ર નથી. અથવા નજીકમાં રહેલાને કહે કે આને બાંધો, બાંધો. માનમાં— અભિમાનથી ધમધમતા મનવાળો કોઇક કહે કે, જાતિ વગેરેથી મારી સમાન કોઇ નથી. માયામાં– બીજાને ઠગવા માટે અપરિચિત સ્થાનમાં રહેલો પોતાના પુત્ર વગેરે વિશે કહે કે, આ મારો પુત્ર નથી, હું આનો પિતા નથી. લોભમાં– કોઇક વાણિયો બીજાના પણ કરિયાણા વગેરેને પોતાના છે એમ કહે. હાસ્યમાં– કોઇક મજાકમાં તેવા પ્રકારના કુલીનને પણ અકુલીન કહે. ભયમાં— જેમ કે તેવા પ્રકારના અકાર્યને આચરીને જેણે તેવા પ્રકારનું અકાર્ય આચર્યું છે તે તું છે ? એવું કોઇએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે હું ત્યારે આ દેશમાં ન હતો. મુખરપણામાં— જેના તેના પરપરિવાદને બોલતો રહે. વિકથામાં– સ્ત્રી વગેરેની કથાઓમાં અહો ! તેણીના કટાક્ષોના વિક્ષેપો ! ઇત્યાદિ કહે. આ પ્રમાણે ઉત્તરાધ્યયનની