________________
૨૧૨
આચારપ્રદીપ
વાત કરવી? કારણ કે તે છાયા સર્વથા જ સાધુની સત્તા સંબંધી વિવક્ષા કરી નથી. અર્થાત્ આ વૃક્ષની છાયા પણ સાધુ માટે જ થશે એવી વિવફા કે આશય નથી. આ વૃક્ષની છાયા પણ સાધુ માટે જ થશે એમ સાધુને ઉદ્દેશીને છાયા માટે વૃક્ષ વાવેલું નથી. વળી તે છાયા માત્ર વૃક્ષ નિમિત્ત નથી. અર્થાતુ વૃક્ષ હોય તો છાયા હોય જ એવું નથી. પરંતુ છાયા સૂર્ય નિમિત્ત પણ છે. અર્થાત્ વૃક્ષ હોવા છતાં પણ જો સૂર્ય ન હોય તો છાયા ન હોય. આથી છાયા સૂર્ય નિમિત્ત પણ છે. છાયા આજુબાજુથી ચારે બાજુ તડકાથી વીંટળાયેલા પ્રતિનિયત દેશમાં રહેલા શ્યામપુદ્ગલ સ્વરૂપ છે. તથા તડકાના અભાવરૂપ છે.
ભાવાર્થ- વૃક્ષ નીચે રહેલા શ્યામપુદ્ગલો ચારે બાજુ રહેલા તડકાના પુદ્ગલોથી વીંટળાયેલા છે અને સ્વયં તડકાના પુદ્ગલોના અભાવરૂપ છે. અને આવા પ્રકારની તે છાયા સૂર્યના જ અન્વય અને વ્યતિરેકપણાને અનુસરે છે. પણ વૃક્ષના અન્વય-વ્યતિરેક પણાને અનુસરતી નથી. અર્થાત્ સૂર્ય હોય તો છાયા હોય અને સૂર્ય ન હોય તો છાયા ન હોય. પણ વૃક્ષ હોય તો છાયા હોય જ એવો નિયમ નથી. વૃક્ષ હોય છતા સૂર્ય ન હોય તો છાયા ન હોય. વૃક્ષ તો છાયાનું માત્ર નિમિત્ત છે. અને વળી છાયાના પુદ્ગલો વૃક્ષના પગલોથી ભિન્ન છે. તેથી વૃક્ષ નિમિત્ત માત્ર બનવાથી છાયા દોષવાળી થતી નથી. તેથી વૃક્ષ જ આધાર્મિક છે. અને તેનાથી જોડાયેલા નીચેના કેટલાક પ્રદેશો પૂતિદોષવાળા છે એમ જાણવું.
વળી– છાયાને આધાર્મિકી માનવામાં આવે તો સવારે અને સંધ્યા સમયે અતિ મોટી છાયાથી સ્પર્શાયેલું ગામ સંબંધી વસતિ વગેરે સઘળું પણ પૂતિદોષવાળું થશે. અને આગમમાં તો એ પ્રમાણે કહેલું નથી. તેથી છાયા આધાકર્મિકી નથી એમ પિંડનિર્યુક્તિ સૂત્રમાં અને તેની વૃત્તિમાં કહેલું છે. જિનકલ્પિક વગેરેને ઔધિક ઉપાધિ આ પ્રમાણે કહેલી છે
पत्तं पत्ताबंधो, पायट्ठवणं च पायकेसरिया । पडलाइं रयत्ताणं, च गुच्छओ पायनिज्जोगो ॥१॥ [ओघनिगा०६६८] तिन्नेव य पच्छागा, रयहरणं चेव होइ मुहपत्ती ।
एसो दुवालसविहो उवही जिणकप्पिआणं तु ॥२॥[ओघनिगा०६६९] પાત્ર, પાત્રબંધ (=ઝોળી), પાત્ર સ્થાપન (નીચેનો ગુચ્છો), પાત્ર કેસરિકા (=ચરવળી), પડલા, રજસ્ત્રાણ અને ગુચ્છો (ઉપરનો ગુચ્છો) આ સાત પ્રકારનો પાત્રનિર્યોગ. ત્રણ પછેડી (બે સુતરાઉ કપડા અને એક ઊનની કામળી), રજોહરણ અને મુહપત્તિ આ બાર પ્રકારનો ઉપધિ જિનકલ્પિકોને હોય છે.