________________
૨૧૪
આચારપ્રદીપ
કેટલાકને ત્રણ કપડાથી સહિત પાંચ પ્રકારની ઉપધિ હોય છે. કેટલાકને મુહપત્તિ, રજોહરણ તથા પાત્ર, પાત્રબંધ, પાત્રસ્થાપન, પાત્ર કેસરિકા, પડલા, રજસ્ત્રાણ અને ગુચ્છો એ સાત પ્રકારના પાત્રનિર્યોગથી સહિત નવ પ્રકારનો ઉપધિ હોય છે. કેટલાકને આ નવ પ્રકારનો ઉપધિ એક કપડાથી સહિત કરતા દશ પ્રકારનો હોય છે. બે કપડાથી સહિત કરતા અગિયાર પ્રકારનો હોય છે. ત્રણ કપડાથી સહિત કરતા બાર પ્રકારનો હોય છે. સાધ્વીઓને ઔધિક ઉપધિ પચીસ પ્રકારનો હોય છે. જેથી કહ્યું છે કે, जिणा बारसरूवा य, थेरा चउदसरूविणो ।
ના પવીતે તુ, સો ૩ વાહો છે ? A [કોયનિં-૬૭૨] જિનકલ્પિકોને બાર પ્રકારનો ઉપધિ હોય છે. સ્થવિર કલ્પિકોને ચૌદ પ્રકારનો ઉપધિ હોય છે. અને સાધ્વીઓને તો પચીસ પ્રકારનો ઉપધિ હોય છે. આનાથી અધિક જે ઉપધિ હોય છે તે ઔપગ્રહિક ઉપધિ જાણવો.
જે ઉપધિ નિત્ય જ ગ્રહણ કરાય તે ઔધિક ઉપધિ કહેવાય અને જે ઉપધિ કારણ પ્રાપ્ત થયે છતે સંયમ માટે ગ્રહણ કરાય તે ઔપગ્રહિક ઉપધિ કહેવાય. અને તે ઔપગ્રહિક ઉપધિ અનેક પ્રકારનો છે. જેમકે– અક્ષો (જેમાં ગુરુની સ્થાપના કરાય છે), સંથારો, ઉત્તરપટ્ટો, દાંડો, ઉચ્ચારમલ્લક (અંડિલ માટે વાટકો), પ્રશ્નવણમલ્લક (માતરા માટેનો વાટકો), ખેલમલ્લક (ભૂંકવા માટેનો વાટકો), રજોહરણની સુતરાઉ નિષદ્યા અને
ઔર્ણિકનિષદ્યા, પ્રમાર્જની (=દંડાસણ) ડગલ, ક્ષાર, તૃણ, પીઠ, ફલક વગેરે અને યોગપટ્ટ ( યોગાભ્યાસ માટે કેડ ઉપર ધારણ કરે તે વ્યાઘચર્મ) સોઈ, નખરદનિકા, ચિલિમિલિ (=પડદો) વગેરે ગુરુયોગ્ય જ હોય, અર્થાત ગુરુની સત્તાનું હોય. પાંચ પ્રકારના પુસ્તક વગેરે પણ ઔપગ્રહિક ઉપધિ છે. પરંતુ સંયમ વિરાધના વગેરે દોષો પ્રાપ્ત થતા હોવાથી મુખ્ય વૃત્તિથી તે ન કલ્પ. અપવાદે તો જ્ઞાનની વૃદ્ધિ વગેરે કારણોથી રાખવાની અનુજ્ઞા આપી છે. ઇત્યાદિ અનેક પ્રકારનો ઉપધિ ગ્રહણ કરવાનો, ધારણ કરવાનો વગેરે વિધિ અને સ્ત્રી, પશુ, નપુંસક આદિથી અસંસક્ત (=રહિત) વસતિને ગ્રહણ કરવા વગેરેનો વિધિ સ્વયં જાણી લેવો. વિશેષાર્થીએ તો શ્રી કલ્પભાષ્યનું અવગાહન કરવું. આ પ્રમાણે એષણા સમિતિ પૂર્ણ થઈ.
આદાન-નિક્ષેપ સમિતિ સંબંધી ચારિત્રાચાર પૂર્વ કહેલો રજોહરણ, મુખવસ્ત્રિકા આદિ સ્વરૂપ ઔધિક અને સંથારો, દાંડો આદિ સ્વરૂપ ઔપગ્રહિક અને બીજું પણ જે કાંઈ વિશેષ પ્રયોજન આવે છતે માટીનું છું,