________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
રાગ અને દ્વેષ એમ બેથી ગુણવામાં આવે તો ચોપન થાય. તથા તે જ નવ કોટિ ક્યારેક પુષ્ટ આલંબનથી દશ પ્રકારના ક્ષમા વગેરે ધર્મનું પાલન કરવા માટે સેવે. જેમ કે દુકાળ વગેરેમાં ફળ વગેરેથી દેહને ધારણ કરીને ક્ષમા વગેરેનું પાલન કરીશ એ પ્રમાણે વિચારીને (ફળના જીવનો) ઘાત કરે. ઇત્યાદિ. તેથી નવ કોટિને ક્ષમા વગેરે દશ શ્રમણધર્મથી ગુણતાં નેવું થાય. અને આ નેવું ભાંગા સામાન્યથી ચારિત્ર નિમિત્તે છે. આ પ્રમાણે સામાન્યથી ચારિત્ર નિમિત્તે હોવા છતાં પણ ક્યારેક વિશેષથી જ્ઞાન નિમિત્તે અને દર્શન નિમિત્તે પણ થાય છે. જેમ કે જંગલ વગેરે પા૨ ક૨વાનું હોય ત્યારે ફળ વગેરેથી દેહને ધા૨ણ ક૨ીને ક્ષમા વગેરે ધર્મનું પાલન કરીશ, વિવિધ પ્રકારના શાસ્ત્રોને ભણીશ અથવા તો દર્શનમાં સ્થિર કરનારા શાસ્ત્રોથી દર્શનને નિર્મલ કરીશ. એ પ્રમાણે વિચારીને (ફળ વગેરેનો) ઘાત કરે. આ પ્રમાણે જ્ઞાનની પ્રધાનતાની વિવક્ષા કરવામાં આવે ત્યારે જ્ઞાન નિમિત્તે થાય છે અને દર્શનની પ્રધાનતાની વિવક્ષા કરવામાં આવે ત્યારે દર્શન નિમિત્તે થાય એમ વિચારવું. નેવુંને જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણથી ગુણવામાં આવતા બસોને સિત્તેર થાય. આ પ્રમાણે પિંડ નિર્યુક્તિની વૃત્તિમાં કહેવામાં આવ્યું છે.
પ્રશ્ન— આધાકર્મિક વૃક્ષની છાયા આધાકર્મિકી થાય કે નહીં ? ઉત્તર- છાયંપિ વિવíતિ છું તહેવાવ્રુત્તH /
तंतुन जुज्जइ जम्हा फलंपि कप्पड़ बिइअभंगे ॥ १ ॥ [ पिण्डनि. १७२] સાધુ ભગવંતને વહોરાવવાના આશયથી ફળ વગેરે માટે વાવેલા વૃક્ષની છાયાનો પણ કેટલાક ત્યાગ કરે છે પણ તે યોગ્ય નથી. કારણ કે અપવાદ માર્ગે ફળ પણ કલ્પે છે.
૨૧૧
અહીં ફળ વગેરે માટે એટલે કે ફળ માટે, ફૂલ માટે કે અન્ય કોઇ કારણથી સાધુ માટે વાવેલા વૃક્ષની છાયાને પણ કેટલાક અગીતાર્થો વૃક્ષ આધાકર્મિક છે તેથી તેની છાયા પણ આધાકર્મિકી છે એમ કહીને ત્યાગ કરે છે. પણ તે યોગ્ય નથી. કારણ કે જેને માટે તે વૃક્ષ વાવેલું છે તે આધાકર્મિક વૃક્ષનું ફળ પણ તેના માટે કૃત હોય અને અન્ય માટે
નિષ્ઠિત હોય એવા પ્રકારના બીજા ભાંગામાં કલ્પે છે.
આનો ભાવાર્થ આ પ્રમાણે છે– કેળ વગેરે વૃક્ષ સાધુ માટે વાવેલું હોય છતાં પણ જ્યારે તેમાં ફળ આવે ત્યારે સાધુની સત્તાનો ત્યાગ કરીને પોતાની સત્તાનું કરે અને એવા આશયથી તેમાંથી કેળાનું ફળ તોડે તો તે પણ સાધુને કલ્પે છે. તો પછી છાયાની તો શું ૧. કૃત-નિષ્ઠિતની ચતુર્થંગી આ પ્રમાણે છે– (૧) સાધુ માટે કૃત, સાધુ માટે નિષ્ઠિત. (૨) સાધુ માટે કૃત અન્ય માટે નિતિ. (૩) અન્ય માટે ધૃત અને સાધુ માટે નિતિ. (૪) અન્ય માટે કૃત અને અન્ય માટે નિતિ.