________________
૨૦૬
આચારપ્રદીપ
અસત્યાકૃષા ભાષા બાર પ્રકારની છે. જેમ કે–
आमंतणि आणवणी, जायणी तह पुच्छणी पनवणी । पच्चक्खाणी भासा भासा इच्छाणुलोमा य ॥ ४ ॥ [ दशवै. नि- २७६ ]
अभिग्गहि भासा, भासा य अभिग्गहंमि बोद्धव्वा । સંસવાળી ભાષા, વોનક અવોડા ચેવ ॥、 [ શ‰નિ-૨૭૭ ]
આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પ્રચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઇચ્છાનુલોમા, અનભિગૃહિતા, અભિગૃહિતા, સંશયકરણી, વ્યાકૃતા અને અવ્યાકૃતા. (૧) આમંત્રણી જેમ કે હે દેવદત્ત ! ઇત્યાદિ વ્યવહારમાત્રનું કારણ હોવાથી આ ભાષા સત્યભાષા, અસત્યભાષા અને સત્યામૃષાભાષાથી અલગ પ્રકારની છે. (૨) આજ્ઞાપની જેમ કે, આ કર. અને તે કરવાનો કે નહીં કરવાનો એ બેમાંથી એકનો પણ નિયમ ન હોવાથી, તેવા પ્રકારનો વ્યવહાર થતો હોવાથી અને અદુષ્ટ વિવક્ષાથી ઉત્પન્ન થયેલી હોવાથી અસત્યામૃષા ભાષા છે. આ પ્રમાણે પોતાની બુદ્ધિથી બીજી જગ્યાએ પણ વિચારવું.
(૩) યાચની– જેમ કે, આ મને આપ.
(૪) પ્રચ્છની– જેમ કે, આ કેવી રીતે ?
(૫) પ્રજ્ઞાપની— જેમ કે, હિંસા આદિમાં પ્રવૃત્ત થયેલો દુ:ખી થાય છે.
(૬) પ્રત્યાખ્યાની— જેમ કે, આ નહીં આપું. ઇત્યાદિ.
(૭) ઇચ્છાનુલોમા– જેમ કે, સાધુ પાસે જાઉં છું એ પ્રમાણે કોઇએ કહ્યું ત્યારે સાધુ પાસે જવું એ સારું છે એમ કહેવું.
(૮) અનભિગૃહિતા અર્થને ગ્રહણ કર્યા વિના જે ડિત્ય વગેરે બોલાય તે. અથવા ઘણા કાર્યો આવી પડે હું શું કરું એમ પૂછાયે છતે યથારુચિ કર એ પ્રમાણે કહેવું. (૯) અભિગૃહિતા— અર્થ ગ્રહણ કરીને ઘટ વગેરે બોલવું તે. અથવા ઘણા કાર્યો આવી પડે છતે હું શું કરું ? એમ પૂછાયે છતે, હમણાં આ કર એ પ્રમાણે કહેવું. (૧૦) સંશયકરણી— અનેક અર્થ થતા હોય એવી સાધારણ ભાષા બોલવી. જેમ કે— સૈન્યવમાનવ– સેંધવ લાવ. ઇત્યાદિની જેમ, સૈંધવ શબ્દ લવણ, વસ્ત્ર, પુરુષ અને