________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
(૧)જનપદ સત્ય— જનપદ સત્ય અલગ અલગ દેશની ભાષા રૂપ છે. છતાં પણ વિવાદ વિના એકાર્થને જણાવવાના વ્યવહારમાં સમર્થ છે. જેમ કે ઉદક (પાણી) અર્થમાં કોંકણ વગેરે દેશોમાં પયઃ, પીચ્ચ, નીર, ઉદક ઇત્યાદિ પ્રયોગો અદુષ્ટ વિવક્ષાનું કારણ હોવાથી અને અલગ અલગ દેશોમાં ઇષ્ટાર્થનો સ્વીકાર કરાવનારો હોવાથી અને તેનાથી વ્યવહારની પ્રવૃત્તિ થતી હોવાથી સત્ય છે. આ પ્રમાણે આગળ પણ ભાવના કરવી.
૨૦૩
(૨)સંમત સત્ય– કુમુદ, કુવલય, ઉત્પલ, તામરસ આ બધાની પંકમાં ઉત્પત્તિ સમાન છે. અર્થાત્ બધા પંકમાં ઉત્પન્ન થાય છે. આમ છતાં ગોવાળ વગેરેને પણ અરવિંદ જ પંકજ રૂપે સંમત છે. તે સંમત સત્ય.
(૩)સ્થાપના સત્ય– કાર્ષાપણ વગેરેમાં મહોરનો વિન્યાસ કરવો વગેરે અથવા એક, બે વગેરે અંકોનો છાપ-મુદ્રા વિન્યાસ કરવો અથવા લેપ્ય વગેરેમાં અરિહંત આદિની સ્થાપના કરવી તે સ્થાપના સત્ય.
(૪)નામ સત્ય– કુલને ન વધારતો હોવા છતાં કુલવર્ધન એમ કહેવું તે નામ
સત્ય.
(૫)રૂપ સત્ય– (ભાવથી શ્રમણ ન હોવા છતાં) જે યતિના લિંગને (=વેષને) ધારણ કરતો હોય તેને વ્રતી કહેવો તે રૂપ સત્ય.
(૬)પ્રતીત સત્ય– મધ્યમા અને કનિષ્ઠિકાને આશ્રયીને અનામિકાને નાની-મોટી કહેવી તે પ્રતીત સત્ય. તે આ પ્રમાણે– અનંત પરિણામવાળા તે દ્રવ્ય તે તે સહકારી કારણના સન્નિધાનથી તે તે રૂપે પ્રગટ થાય છે.
(૭)વ્યવહાર સત્ય– જેમકે ગિરિ બળે છે, ભાજન ગળે છે, અનુદરા કન્યા છે, અલોમકા ગાડરી છે. આ વ્યવહાર યથાક્રમ-ગિરિ ઉપર રહેલા ઘાસ વગેરે બળે છતે ગિરિ બળે છે, પાણી ગળે છતે ભાજન ગળે છે, સંભોગના બીજથી થનારો (મોટો) ઉદરનો અભાવ હોતે છતે અનુદરા કન્યા અને લણવા-કાપવા યોગ્ય લોમનો અભાવ હોતે છતે અલોમકા એડકા (ગાડરી) એવો વ્યવહાર પ્રવર્તે છે.
(૮)ભાવ સત્ય– પાંચે વર્ણનો સંભવ હોવા છતાં સફેદ વર્ણ ઉત્કટ હોવાથી બગલીને સફેદ કહેવી તે ભાવ સત્ય.
(૯)યોગ સત્ય– (હાથમાં) છત્રનો યોગ હોવાથી છત્રી, (હાથમાં) દંડનો યોગ હોવાથી દંડી કહેવું તે યોગ સત્ય.