________________
આચારપ્રદીપ
વૃત્તિમાં કહ્યું છે. આ પ્રમાણે ક્રોધ વગેરે તથા રાગ, દ્વેષ, માત્સર્ય, મોહ વગેરે સ્થાનોને છોડીને નિરવઘ અને મિત ભાષા બોલવી જોઇએ. કહ્યું છે કે,
૨૦૨
प्रस्तावसदृशं वाक्यं, स्वभावसदृशं प्रियम् ।
આત્મશક્તિસમં હોવું, યો જ્ઞાનાતિ મેં પતિઃ ॥ ॥
જે પ્રસંગને અનુરૂપ વાક્ય બોલવાનું જાણે છે, જે સ્વભાવને અનુરૂપ પ્રિય બોલવાનું જાણે છે અને જે પોતાની શક્તિને અનુરૂપ કોપ કરવાનું જાણે છે તે પંડિત છે.
આ ઉક્તિથી પ્રસંગને ઉચિત મિત ભાષણ પણ મોટા કાર્યને સાધનારું છે. દશવૈકાલિક સૂત્રની અંતર્ગત આવતા વાક્યશુદ્ધિ નામના અધ્યયનમાં પ્રતિપાદન કરવામાં આવેલા અસ્ફુટત્વ, મર્મભાષિત્વ વગેરે દોષોથી રહિત નિરવઘ બોલવામાં જે સમિતિ તે ભાષાસમિતિ છે. કહ્યું છે કે,
महुरं निउणं थोवं, कज्जावडिअं अगव्विअमतुच्छं ।
पुवि मइसंकलिअं, भांति जं धम्मसंजुत्तं ॥ १ ॥ [ उपदेशमाला० ८०. ] जेण परो दूमिज्जइ, पाणिवहो होइ जेण भणिएणं । अप्पा पडड़ किलेसे, न हु तं जंपंति गीअत्था ॥ २ ॥
જે મધુર હોય, નિપુણ હોય, અલ્પ હોય, કાર્ય ઉપસ્થિત થયે બોલવાના પ્રયોજનવાળું હોય, ગર્વથી રહિત હોય, ઉદાર હોય, પૂર્વે બુદ્ધિથી સંકલિત કરેલું હોય અને ધર્મથી યુક્ત હોય આવું વાક્ય ગીતાર્થો બોલે છે. પણ જે બોલેલા વાક્યથી બીજાને દુઃખ થાય, જીવનો વધ થાય, આત્મા ક્લેશમાં પડે એવા વાક્યને ગીતાર્થો બોલતા નથી.
ભાષાના ભેદો
ભાષાનું સ્વરૂપ દશવૈકાલિક નિર્યુક્તિ વગેરેમાં આ પ્રમાણે કહેલું છેતે આ પ્રમાણે— ભાષા ચાર પ્રકારની છે. ૧. સત્ય, ૨. મૃષા, ૩. સત્યામૃષા અને ૪ અસત્યામૃષા. તેમાં સત્ય ભાષા દશ પ્રકારની છે. જેમકે–
जणवय सम्मय ठवणा, नामे रूवे पडुच्चसच्चे अ ।
ववहार भाव जोगे, दसमे ओवम्मसच्चे अ ॥ [ दशवै०नि०२७३ ]
(૧) જનપદ સત્ય (૨) સંમત સત્ય (૩) સ્થાપના સત્ય (૪) નામ સત્ય (૫) રૂપ સત્ય (૬) પ્રતીત સત્ય (૭) વ્યવહાર સત્ય (૮) ભાવ સત્ય (૯) યોગ સત્ય (૧૦) ઉપમાં
સત્ય.