________________
૧૭૩
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર તા તેનો નિરી, મયરહો તાવ તો કુત્તારો . ता विसमा कज्जगई जाव न धीरा पवज्जन्ति ॥१॥[प्रव्रज्याविधान कुलक-२२]
મેર પર્વત ત્યાં સુધી જ ઊંચો છે, સમુદ્ર ત્યાં સુધી જ દુસ્તર છે અને કાર્યની ગતિ પણ ત્યાં સુધી જ વિષમ છે કે જ્યાં સુધી ધીર પુરુષો તેનો સ્વીકાર કરતા નથી.
પરનું માંસ ખાવાના એક લક્ષ્યવાળા તે સિંહે તે જ ક્ષણે મુખથી ટુકડે ટુકડા કરીને તે વાનરનું ભક્ષણ કર્યું, છતાં પણ શુભ ધ્યાનના એક રસના આવેશના વશથી મનથી દુઃખ નહીં પામેલો અસમાધિમરણમાં પણ (શારીરિક દુઃખના કારણે અસમાધિ અને માનસિક દુઃખના અભાવના કારણે) સમાધિ મરણથી મરેલો તે ભવનપતિ દેવલોકમાં અરુણ નામના મહા ભવનમાં ઘણાં હજાર વરસના આયુષ્યવાળો શ્રેષ્ઠ દેવ થયો. ક્રમે કરી ત્યાંથી ચ્યવેલો જયાં ઉત્પન્ન થયો તે હું કહું છું. તે આ પ્રમાણે
વિવિધ પ્રકારના નિર્મલમણિના કિરણોના સમૂહથી નાશ કરાયો છે અંધકારનો પ્રચાર જેમાં એવું સારભૂત દિવ્ય વિમાનના અવતારથી રમણીય, મણિનું જાણે મંદિર હોય એવું મણિમંદિર નામનું નગર હતું. જેમાં પ્રશસ્ત પાંચે વર્ણના અસાધારણ મણિમય ભવનોમાં પ્રવેશ કરતી ગામડાની મુગ્ધ સ્ત્રીઓ ક્યાંક નિર્મલ સ્ફટિક રત્નથી બાંધેલી ભૂમિ ઉપર મૂકેલા અતિવિશિષ્ટ લાલ રંગના પદ્મરાગ રત્નના સમૂહને રમ્ય એવા કુંકુમના ભ્રમથી ગ્રહણ કરવાના અભિપ્રાયથી હું પહેલી હું પહેલી એ પ્રમાણે દોડતી કયા નગરજનને મશ્કરીનું કારણ નથી બનતી ? ક્યાંક નિર્મલ વૈદુર્યમણિના સમૂહને કસ્તુરિકાના ભ્રમથી ગ્રહણ કરવાના અભિપ્રાયથી.. ક્યાંક લીલી વનસ્પતિના પાંદડા જેવા લીલા વર્ણના ઇંદ્રનીલમણિના સમૂહને લીલી વનસ્પતિના ઘાસના સમૂહના ભ્રમથી ગ્રહણ કરવાના અભિપ્રાયથી... ક્યાંક અતિ પીળા રત્નના સમૂહને હરતાલના સમૂહના ભ્રમથી ગ્રહણ કરવાના અભિપ્રાયથી... ક્યાંક પ્રશસ્ત વૈદુર્યમણિથી બાંધેલી ભૂમિ ઉપર અંદરના ભાગમાં મૂકેલા અત્યંત શ્વેત કાંતિવાળા સુંદર મહાન મણિના સમૂહને સરસ કપૂરના સમૂહના ભ્રમથી ગ્રહણ કરવાના અભિપ્રાયથી... ક્યાંક પાણીના વિભ્રમને કરનારા અને મનોહર તેવા પ્રકારના રત્નના સમૂહને નિર્મલ નીરની ભ્રાંતિથી ગ્રહણ કરવાના અભિપ્રાયથી... ક્યાંક (ભૂમિ) ઉપર બનાવેલા કૃત્રિમ સ્વરૂપવાળા કબૂતર, મોર, હંસ, સારસ, પોપટ, મેના આદિના પ્રતિબિંબોમાં મોટા કતલના વશથી જાણે જીવતા હોય તેમ તે તે પક્ષીઓને ગ્રહણ કરવાની બુદ્ધિથી... ક્યાંક શોભા નિમિત્તે ઉપર મૂકેલી અને લટકતી અને નીચે પ્રતિબિંબિત થયેલી મોટી મુક્તાવલી, રત્નાવલી, કનકાવલી અને લટકતા મોતીઓના હારોમાં વિવિધ પ્રકારના આભરણને ગ્રહણ કરવાની બુદ્ધિથી.. ક્યાંક પોતાની પાછળ