________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
૧૭૧
કલકલ અવાજને કરે છે અને દોડે છે. અને તે જ ક્ષણે તે મુનીશ્વરને ચારે બાજુથી પણ જેટલામાં ઢેફા, લાકડા વગેરેથી મારે છે તેટલામાં તે જૂથાધિપતિ વાનર ત્યાં આવ્યો અને નિપુણ નરની જેમ વિચારવા લાગ્યો કે આ..! આવા પ્રકારના મહાત્માને મેં પૂર્વે ક્યાંય પણ જોયા છે. ત્યાર પછી ઊહાપોહ કરતો તે જાતિસ્મરણ જ્ઞાનને પામ્યો. જાતિસ્મરણ જ્ઞાનથી પોતાના પૂર્વ જન્મને યાદ કરે છે. અને મનુષ્યભવને હારવાથી હૃદયમાં અત્યંત પશ્ચાત્તાપને ધારણ કરે છે. પૂર્વભવમાં કરેલા કૂડકપટ આદિ પાપની ગહ કરે છે. પૂર્વભવમાં અનુસરેલા સાધુ ઉપરના બહુમાનને વહન કરે છે. તેથી તે જ ક્ષણે ચારે બાજુથી પણ મુનીશ્વર ઉપર ઉપસર્ગ કરતી વાનરીઓને નિવારે છે. અને નજીકમાં જઈને મુનિરાજના પગે પરમ આદરથી પ્રણામ કરે છે. ત્યાર પછી તે જ ક્ષણે લોહચુંબકના પ્રયોગથી લોઢાની જેમ જાતિસ્મરણ જ્ઞાનથી જાણેલી શલ્યને ખેંચવાની ઔષધિના પ્રયોગથી મુનિરાજના પગમાં લાગેલા કાંટાને ખેંચી કાઢે છે. અને ત્રણ સંરોહણી ઔષધિથી તે મુનિ ભગવંતને સારા પગવાળા કરે છે. અહો ! તેનું ચરિત્ર આશ્ચર્યકારી છે. કેમ કે તુચ્છ તિર્યંચ હોવા છતાં પણ તેણે ત્યારે મુનિવરના દ્રવ્યશલ્યને કાઢવાનું કરતો તરત જ દેવ અને મનુષ્યોને પણ દુઃસાધ્ય એવું પોતાનું મિથ્યાદર્શન રૂપ ભાવશલ્ય કાઢવાનું કર્યું. અહો ! વાનરમાત્રની પણ વિવેકની ચતુરાઈ ! કારણ કે આ પ્રમાણે સંપૂર્ણ સુખનું કારણ એવું સુવિહિત સાધુઓનું શલ્ય કાઢવા આદિરૂપ વૈયાવચ્ચ કરવું.
અહીં કાવ્યો છે– અથવા તો જલદીથી ભવિષ્યમાં થનારી સંપૂર્ણ સુખરૂપ સદ્ગતિ જેની નજીકમાં છે એવો આ તિર્યંચ હોવા છતાં પણ ઉત્તમ ગતિવાળો છે. તેથી આમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે નજીકમાં સૂર્ય ઉદય પામે છતે પ્રભાતની પ્રભા હસે છેઃખીલે છે. ચિત્તની અંદર પૂર્વભવમાં ધારણ કરેલું અલ્પ પણ સાધુ ઉપરનું બહુમાનમાત્ર પણ જીવોને આ જન્માંતરમાં સિદ્ધરસના સારની જેમ સર્વકલ્યાણની સંપત્તિને સંપાદન કરનારું થાય છે. ત્યાર પછી આંસુડા પાડવા આદિ દ્વારા મનુષ્યપણાને હારી જવું આદિ અતિશય પશ્ચાત્તાપને બતાવતા તે વાનરના તેવા પ્રકારના અભિપ્રાયને અનુમાનથી જાણીને કરુણામાં તત્પર તે મુનીશ્વરે ધર્મદેશના આપી. તે આ પ્રમાણે
વાનરેન્દ્ર ! વિવેકપણા પૂર્વકના તિર્થીપણામાં પણ જે શ્રાવકધર્મથી કંબલસંબલ વૃષભ આદિની જેમ લાંબા કાળ અને ચંડકૌશિક સર્પ આદિની જેમ જલદીથી સદ્દધર્મનું અર્જન થાય છે અને સંસારસાગરમાં ડૂબવાનું દૂર થાય છે. તેથી શક્તિ પ્રમાણે સમ્યકત્વમૂળ શ્રાવકધર્મની આરાધના કરે છે, જેથી ક્ષણવારમાં લાંબાકાળથી ભેગા કરેલા પણ પાપકર્મના ક્ષીણપણાને પામીશ, અર્થાત્ પાપકર્મ ક્ષીણ થશે. શ્રાવકવ્રતમાં પણ વિશેષથી ઘણા પ્રકારના સાવદ્યનું ત્યાગ કરાવનારું સર્વજ્ઞ ભાષિત દેશાવગાસિક નામનું