________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
શૂન્ય જણાય છે. તો પછી કુમારના મિલનમાં તો શું વાત કરીએ ? અર્થાત્ કુમારને દૂરથી જોતા જો આટલો હર્ષ થયો તો જ્યારે કુમારનું મિલન થશે ત્યારે તો કેટલો બધો હર્ષ થશે? ત્યાર પછી મોટી ઋદ્ધિપૂર્વક નગરમાં પ્રવેશ કરાવીને વિવિધ મોટા ઉત્સવપૂર્વક પોતાનું સર્વ પણ રાજ્ય આપીને નિશ્ચિંત હૃદયવાળો થયેલો મણિશેખર રાજા સારી રીતે જિનધર્મને કરે છે. અહીં ગાથાઓ છે—
भारक्खमेऽवि पुत्ते, जो निअभारं ठवित्तु निच्चितो । સમ્મે ધમ્મ ન ારૂ, તદ્દા મૂહો ત્તિ જો અન્નો ? ॥
૧૯૧
॥
ભાર વહન કરવામાં સમર્થ એવા પણ પુત્ર ઉપર પોતાના ભારને સ્થાપન કરીને નિશ્ચિત થયેલો જે સારી રીતે ધર્મને કરતો નથી તો તેના જેવો મૂઢ બીજો કોણ છે ? जो जुव्वणमवि पत्तो, पुत्तो चिंतं पिऊण न हरेइ । ન ય ાવેડ્ ધાં, પશુ વ્વ હિં તેળ નાળ ? ॥ ૨ ॥
યૌવનને પામેલો પણ જે પુત્ર પિતાની ચિંતાને દૂર કરતો નથી અને પિતા પાસે ધર્મ કરાવતો નથી. પશુ જેવા તે પુત્રથી શું ?
ત્યાર પછી સર્વરાજ્યની ચિંતા કરવામાં સાવધાન થયેલો અરુણદેવ નામનો તે નવો રાજા જેવી રીતે ઊગતો સૂર્ય પૃથ્વીમંડલ ઉપર આક્રમણ કરે તેવી રીતે દુ:ખે કરી સહન કરી શકાય એવા પોતાના મહા તેજથી આક્રમણ કરતો, લીલામાત્રથી જ જેણે પૃથ્વીના ત્રણે ખંડોને સાધી લીધા છે એવો જાણે નવો વાસુદેવ ન હોય, હું પહેલો, હું પહેલો એમ સ્પર્ધા કરવાપૂર્વક સર્વ રાજાઓ અને વિદ્યાધર રાજાઓના સમૂહના સંભ્રમપૂર્વક નમેલા મસ્તકરૂપી શિખરમાંથી પ્રસરતા પદ્મપરાગથી સુગંધિત કરાયા છે ચરણકમલયુગલ જેના એવો, ઇન્દ્રની જેમ અખંડ આજ્ઞાવાળો શ્રેષ્ઠ સમગ્ર ભોગ સામગ્રીથી યુક્ત એવા પોતાના રાજ્યને ભોગવે છે.
અહીં ગાથાઓ છે– પૂર્વે તિર્યંચપણામાં પણ સામાયિક સહિત દેશાવગાસિકવ્રત માત્ર એકવાર જ કરેલું હતું. અહો ! તે વ્રતનું અતિવિપુલ આવું ફળ ! મણિની ખાણમાં શ્રેષ્ઠ મણિઓ હોય છે તેમાં પણ ચિંતામણિ શ્રેષ્ઠ ફળવાળો હોય છે તેવી રીતે જિનશાસનમાં સઘળીય ધર્મવિધિ શ્રેષ્ઠ છે તેમાં પણ વ્રતરૂપી ધર્મવિધિ શ્રેષ્ઠ ફળવાળો છે. અથવા તો આ ઋદ્ધિઓ આ વ્રતનું તુચ્છ ફળ છે. કારણ કે આ કુમાર આગળ જિનઋદ્ધિના ભોગફળને પણ જલદીથી જ મેળવશે. અર્થાત્ તીર્થંકર થશે.
કોઇક વખત તે નગરમાં મહાઋદ્ધિવાળા શ્રાવકસંઘે રાજાનો આદેશ લેવાપૂર્વક રથયાત્રાનો મહામહોત્સવ માંડ્યો. અને તે મહોત્સવ ઉપર અનેક ગામ-નગરમાંથી શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘનો સમૂહ પણ બહુમાનપૂર્વક એકત્રિત કરાયો અર્થાત્ આમંત્રિત