________________
આચારપ્રદીપ
પામ્યો અને અતિ હર્ષના સમૂહથી પૂર્ણ થયો. ત્યાર પછી ગુરુ ભગવંતે તેને કહ્યું કે, ભો! મહાનુભાગ ! જો તિર્યંચપણામાં એકવાર કરેલા એક વ્રતના પાલનથી તું આવા પ્રકારની સંપત્તિને પામ્યો, તો હમણા શાસનપ્રભાવના આદિ કરવાપૂર્વક મહાવ્રત ધર્મને સારી રીતે કર કે જેથી દુર્લભ એવા પણ શાશ્વત મોક્ષને જલદીથી જ સારી રીતે પામે. કારણ કે સર્વધર્મો કરતા પણ ચારિત્રધર્મ સર્વશ્રેષ્ઠ છે. કહ્યું છે કે,
૧૯૪
सव्वरयणामएहिं, विभूसिअं जिणहरेहिं महिवलयं । जो कारिज्ज समग्गं, तओऽवि चरणं महिड्डीअं ॥ १ ॥ [ दर्शनशुद्धि. गा०८६ ]
જે સમગ્ર પૃથ્વીવલયને સર્વ૨ત્નમય જિનમંદિરોથી વિભૂષિત કરાવે તેના કરતા પણ ચારિત્ર મહાકિંમતી છે.
આ પ્રમાણેની ધર્મદેશનાથી વિશેષથી પ્રતિબોધ પામેલા મનવાળો તે રાજા જિનભવન આદિ સાતેય ક્ષેત્રોમાં શ્રેષ્ઠ (મોક્ષ) સંપત્તિ માટે અમાપ પોતાનું ધનરૂપી બી વાવવું, તીર્થયાત્રા, ચૈત્યયાત્રા, રથયાત્રા કરવી, દીનનો ઉદ્ધાર કરવો, પોતાના દેશની અંદર સાતેય વ્યસનનું નિવારણ કરવું, અમારિપડહની ઉદ્ઘોષણા કરાવવી ઇત્યાદિથી જિનશાસનની પ્રભાવના કરીને પદ્મશેખર નામના પોતાના શ્રેષ્ઠ પુત્રને શ્રેષ્ઠ મહોત્સવપૂર્વક રાજ્ય ઉપર સ્થાપીને પ્રતિસમય ઉછળતા ભાવવાળો મહાનુભાવ એવો તે રાજા વિધિપૂર્વક નિરવઘ (સર્વસાવદ્યવિરતિરૂપ) પ્રવ્રજ્યાને સ્વીકારે છે. અહો ! મહાનુભાગ એવા તેનું મહાસત્ત્વપણું ! કે આવા પ્રકારની પણ ઋદ્ધિને અનિષ્ટથૂંકની જેમ ત્યાગ કરીને યુવાનીમાં પણ આવા પ્રકારના નિસ્પ્રંગધર્મને અંગીકાર કરવું ! અહીં ગાથાઓ છે–
रिद्धी पडिबद्धा, हवंति केइ हु अवि असंतीए । સંતીદ્ વિ ન રૂં, સુત્તમો અંતર તેéિ ! ॥
॥
કેટલાક લોકો ઋદ્ધિ ન હોવા છતાં ઋદ્ધિમાં આસક્ત હોય છે, તો કેટલાક લોકો ઋદ્ધિ હોવા છતાં પણ તેમાં આસક્ત થતા નથી. અહો ! તે બંનેનું કેટલું અંતર છે ! अहवा किं अच्छरियं, तुच्छा खणभंगुरा इमा रिद्धी । परनिच्चरिद्धिहेडं, चत्ता लुद्धेण तेण धुवं ॥ २ ॥
અથવા એમાં આશ્ચર્ય શું છે ? આ ઋદ્ધિ તુચ્છ છે અને ક્ષણવારમાં નાશ પામનારી છે. તેથી આસક્ત એવા તેણે નક્કી શ્રેષ્ઠ નિત્યઋદ્ધિ માટે આ ઋદ્ધિ છોડી છે.