________________
૧૯૮
આચારપ્રદીપ
जइवि अ महव्वयाई, निग्गंथीणं न हुंति अहिआई । तहवि अ निच्चविहारे, हवंति दोसा इमे तासि ॥४॥ [ बृहत्कल्पसूत्र-२१०३]
જો કે સાધ્વીજી ભગવંતોને મહાવ્રતો અધિક નથી હોતા તો પણ નિત્ય વિહારમાં એટલે કે મહિને મહિને બીજા બીજા ક્ષેત્રમાં વિહાર કરવામાં તેમને આ દોષો થાય છે. मंसाइपेसिसरिसी, वसही भिक्खं च दुल्लभं जोग्गं । एएण कारणेणं, दो दो मासा अवरिसासुं ॥५॥ [ बृहत्कल्पसूत्र-२१०४]
સર્વને પણ અભિલાષ કરવા યોગ્ય હોવાથી સાધ્વીજી માંસની પેશી જેવી છે તથા તેમને યોગ્ય વસતિ દુર્લભ હોય છે. અને તેમને પ્રાયોગ્ય ક્ષેત્ર દુર્લભ હોય છે. તેથી યથોક્તગુણથી રહિત વસતિમાં અથવા તો દોષોથી દુષ્ટ એવા ક્ષેત્રમાં સાધ્વીજી ભગવંતોને : રાખવામાં પ્રવચન વિરાધના વગેરે ઘણા દોષો પ્રાપ્ત થાય છે. આ કારણથી તેઓને વર્ષાવાસ-ચોમાસું છોડીને બાકીના કાળમાં એક સ્થાનમાં બે બે મહિના રહેવાની અનુજ્ઞા આપવામાં આવી છે. दुण्हं उवरि वसंती, पायच्छित्तं च होइ दोसा य । बीअपयं च गिलाणे, वसही भिक्खं च जयणाए ॥६॥[बृहत्कल्पसूत्र-२१०५]
બે મહિનાથી વધારે રહે તો પ્રાયશ્ચિત્ત આવે અને દોષો થાય. અપવાદ પદે ગ્લાન, અશિવ, દુકાળ, રાજદ્વેષ આદિ કારણે અધિક રહેવું પડે તો અન્ય અન્ય સ્થાને વસતિ, ભિક્ષા, અંડિલ ભૂમિ આદિ ગ્રહણ કરે.
અને વિહાર કરવામાં “પંથ સમા સ્થિ નાં' એ ઉક્તિથી તપના કાયક્લેશરૂપ ભેદની આરાધના, વિવિધ પરિષહો અને ઉપસર્ગોને સહન કરવું વગેરે પણ ગુણો થાય છે. આથી ઇર્યાસમિતિ ઇત્યાદિ વિધિથી સાધુએ ધર્મની વૃદ્ધિ માટે વિહાર કરવો જોઈએ.
ઈર્યાસમિતિ સંબંધી ચારિત્રાચાર ઈર્યાસમિતિનું સ્વરૂપ આ પ્રમાણે છે– રાત્રીએ (કોઈ પણ વસ્તુ) ચક્ષુનો વિષય ન બનતી હોવાથી અર્થાત્ રાત્રે ન દેખાતું હોવાથી અતિશય પુષ્ટ આલંબન વિના રાત્રે ગમન કરવાની અનુજ્ઞા આપી નથી. દિવસે છજવનિકાયની વિરાધનાનો ત્યાગ કરવા માટે લોકો વડે અતિશય ચલાયેલા માર્ગે જવું જોઇએ પણ ઉન્માર્ગે ન જવું જોઈએ. તેમાં પણ ત્રસ અને સ્થાવર જીવના સમૂહને અભયદાન આપવા માટે દીક્ષિત થયેલા, જ્ઞાનાદિ આવશ્યક પ્રયોજન માટે જતા, ગતિ અને ઉપયોગના ઉપઘાતનું કારણ એવા વાતો કરવી,