________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
૧૯૭
શીતોષ્ણકાલમાં અર્થાત્ શિયાળા અને ઉનાળામાં માસકલ્પ રહીને અને ચોમાસામાં ચાર મહિના રહીને ફરી ત્યાં જ કારણ વિના રહે તો હે આયુષ્માન્ ! આ કાલાતિક્રમ નામનો દોષ સંભવે છે. જે સાધુ ભગવંતો ઋતુબદ્ધકાળમાં અથવા વર્ષાકાળને પસાર કરીને બીજી જગ્યાએ એક મહિનો રહીને (ઋતુબદ્ધ કાળમાં) બે ગણાં, ત્રણ ગણાં માસકલ્પથી એટલે કે બે માસ કલ્પ, ત્રણ માસ કલ્પ વગેરે માસકલ્પથી આંતરું કર્યા વિના (અને ચોમાસામાં બે ગણા, ત્રણ ગણા ચોમાસાથી એટલે કે બે ચોમાસા, ત્રણ ચોમાસા વગેરે ચોમાસાથી આંતરું કર્યા વિના) ફરી તે જ ઉપાશ્રયમાં રહે તો આવા પ્રકારનો ઉપાશ્રય ઉપસ્થાનક્રિયા નામના દોષથી દુષ્ટ થાય છે. આથી ત્યાં રહેવું કલ્પતું નથી એમ આચારાંગની વૃત્તિમાં કહ્યું છે. શ્રી કલ્પભાષ્ય વગેરેમાં પણ કહ્યું છે કે,
मासस्सुवरिं वसइ पायच्छित्तं च हुंति दोसा य ।
વિજ્ઞપયં શિાળે, વસહી મિવવું = નથળાÇ l[ બૃહ૫-૨૦૨૨]
(ઋતુબદ્ધકાળમાં એક સ્થળે) મહિનાથી અધિક રહે તો પ્રાયશ્ચિત્ત આવે છે અને ગૃહસ્થ ઉપર સ્નેહ, રાગ વગેરે દોષો થાય છે. ગ્લાન હોય તો અપવાદપદે વસતિ અને ભિક્ષાની યતના કરે. ગ્લાન, અશિવ, દુકાળ, રાજદ્વેષ આદિ કારણોથી મહિનો આદિ અધિક રહેવું પડે તો અન્ય અન્ય સ્થાને વસતિ કરવી, અન્ય અન્ય સ્થાનેથી ભિક્ષા ગ્રહણ કરવી, અન્ય અન્ય સ્થાને સ્થšિલભૂમિ આદિ કરવું એ પ્રમાણે કહેવાનો ભાવ છે. म अही विहिणा विसेसकयउज्जमो तवविहाणे । વ્યાસપત્તિનો, નાબાલેમેમુ વિજ્ઞરિષ્ના ॥ ૨ ॥
તે (સૂત્ર, અર્થ, તદુભય) વિધિપૂર્વક ભણે છતે અને તપ કરવામાં જેણે વિશેષ ઉદ્યમ કર્યો છે, દ્રવ્ય આદિમાં ક્યાંય પણ રાગ નહીં કરતો વિવિધ દેશોમાં વિચરે.
पडिबंधो लहुअत्तं न जणुवयारो न देसविन्नाणं । नाणाईण अवुड्डी दोसा अविहारपक्खमि ॥ ३ ॥
અવિહાર પક્ષમાં=માસકલ્પ વિધિથી વિહાર કરવામાં ન આવે તો પ્રતિબંધ (=શય્યાતર આદિ પ્રત્યે રાગ) અને લઘુતા થાય તથા જન ઉપકાર, દેશવિજ્ઞાન અને આજ્ઞારાધના એ ત્રણ ન થાય એ દોષો લાગે છે.
વિહા૨ પક્ષમાં તો વ્યતિરેકથી આ જ (જે દોષો બતાવ્યા તે જ) ગુણ રૂપે વિચારવા. સાધ્વીજી ભગવંતોને આશ્રયીને તો આ પ્રમાણે કહ્યું છે,