________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
૧૮૯ અરુણદેવ વડે તત્કણે જ વશ કરાયો. નિરંકુશ બનેલો શ્રેષ્ઠ હાથી જૂના શૂન્યઘરનો જે રીતે વિનાશ કરે તે રીતે તેણે તે નગરનો વિનાશ કર્યો. અતિ ભયભીત ચિત્તવાળો નાટ્યોન્મત્ત વિદ્યાધર પણ શિયાળની જેમ અહીં તહીં ભાગતો જીવનો નિગ્રહ કરવા વડે નિગ્રહ કરાયો. અહીં કાવ્ય છેविरूवं परूवेइ चिंतेइ कुज्जा, महंताण इटुं च जो चित्तुमिच्छे । महंतेहि सद्धिं च वेरं करिज्जा, लहिज्जा लहुं एस नूणं अणत्थं ॥१॥ " જે પુરુષ મોટાઓને વિશે વચનથી વિપરીત પ્રરૂપણા કરે, મનથી વિપરીત ચિંતવે, અને કાયાથી વિપરીત કરે, મોટાઓને ઇષ્ટ એવી વસ્તુને ગ્રહણ કરવાની ઇચ્છા કરે અને મોટાઓની સાથે વેર કરે નક્કી એ જલદીથી અનર્થને પામે.
ત્યાર પછી પ્રત્યક્ષ જાણ્યો છે કુમારનો ઘણો મહિમા જેઓએ એવા, જેમનો દર્પ ચાલ્યો ગયો છે એવા સઘળાય પણ વિદ્યાધરોએ ભેગા થઈને રાજ્યાભિષેક વગેરે મહા ઉત્સવપૂર્વક ચક્રવર્તીની જેમ અરુણદેવને દક્ષિણ અને ઉત્તર એમ બંને શ્રેણિના નાયકપણે સ્થાપ્યો. અને આ વિદ્યાધર ચક્રવર્તી છે એ પ્રમાણે ઉદ્ઘોષણા કરી.
અહીં ગાથા અને કાવ્ય છે.
સેવામાં સજ્જ થયેલા કુમારની કૃપાને ઇચ્છતા હજારો વિદ્યાધરો ઇન્દ્રની કૃપાને ઇચ્છતા દેવો ઇન્દ્રને વંદન કરે તે રીતે હંમેશા પણ એકી સાથે કુમારને વંદન કરે છે.
મનુષ્યમાત્ર એવા પણ તેને આવા પ્રકારની જે વિદ્યાધર ચક્રવર્તીની સંપત્તિ પ્રાપ્ત થઈ તે સારી રીતે ભેગા કરેલા પૂર્વના પુણ્યનું ફળ છે. ખરેખર જીવોનું પુણ્ય કુત્રિકાપણ
જેવું છે.
ત્યાર પછી પોતપોતાના વિભવને અનુરૂપ વર્યાપનક કરવું, વિવિધ પ્રશસ્ત વસ્તુના સમૂહનું ભેટશું ધરવું વગેરે મહા ઉત્સવના વિધાન સુધી કેટલાક દિવસો ત્યાં વિદ્યાધરોની સાથે સુખપૂર્વક રહીને, બંને શ્રેણિ ઉપર પણ વજવંગ વિદ્યાધર રાજાના સૈન્યને દંડનાયક પદે સ્થાપન કરીને અનેક વિમાનોથી લાખો લાખો ગુણું કરેલું છે સૂર્ય (=તેજ)મંડલ જેણે એવો જાણે પ્રત્યક્ષ ઇન્દ્ર ન હોય એવા અનેક ક્રોડ ખેચરોથી પરિવરેલો તે કુમાર શ્રેષ્ઠ વિભૂતિથી પોતાના નગર તરફ ચાલ્યો. કારણ કે જે વિભૂતિ સમગ્ર પણ સ્વજનવર્ગ વડે હર્ષ અને ઉલ્લાસપૂર્વક જોવાય છે અને ભોગવાય છે તે જ વિભૂતિ છે.
૧. કુત્રિકાપણ–દેવથી અધિષ્ઠિત દુકાન છે. જગતમાં જેટલી વસ્તુ હોય તે બધી વસ્તુ તેમાં મળી રહે છે.