________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
જે ઉપકાર કે અપકારને ભૂલી જાય છે, પાષાણ હૃદયવાળા તેનું ‘જીવે છે’ એવું નામ ફોગટ જ છે.
प्रियं वा विप्रियं वाऽपि, सविशेषं परार्पितम् । प्रत्यर्पयन्ति ये नैव, तेभ्यः साप्युर्वरा वरा ॥ २ ॥
૧૮૭
જેઓ બીજાએ આપેલા પ્રિય કે અપ્રિયને વિશેષથી યુક્ત કરીને અર્થાત્ પ્રિય કરેલું હોય તેનાથી અધિક પ્રિય અને અપ્રિય કરેલું હોય તેનાથી અધિક અપ્રિયને પાછું આપતા નથી તેના કરતા તો તે પૃથ્વી પણ શ્રેષ્ઠ છે. (પૃથ્વી વાવેલાં સારા બીજને અનેકગણું કરી પાછું આપે છે એ જ પ્રમાણે વાવેલા ખરાબ બીજને પણ અનેકગણું કરી પાછું આપે છે.)
થરથર કંપાવ્યું છે પૃથ્વી મંડલને જેણે, ધડ ધડ ગજાવ્યું છે પર્વતના ભૂમિ તલને જેણે, ખડખડાવ્યું છે પર્વતના શિખરને જેણે, કડકડ અવાજ કરાવ્યા છે માર્ગમાં આવતા સઘળાય વૃક્ષના સમૂહને જેણે, ઘુમઘુમ અવાજ કરાવ્યો છે સમગ્ર દિમંડલને જેણે, ગુમગુમ અવાજ કરાવ્યું સકલ આકાશ તલને જેણે, ઝલઝલાવ્યું છે સાગરને જેણે, કમકમાવ્યા છે કાયરોને જેણે, દમદમાવ્યા છે મહાસુભટજનોને જેણે, અંદર ધમધમાવ્યા છે દુષ્ટ વિદ્યાધરના સમૂહોને જેણે, સલસલાવ્યું છે શેષનાગેશ્વરને જેણે, ટળટળાવ્યું છે આદિ વરાહને જેણે, ઉછળતી ધૂળની ડમરીથી ઝાંખુ કર્યું છે સૂર્યમંડલને જેણે, શોષી લીધું છે સંપૂર્ણ જળાશયોના જળને જેણે, જાણે પ્રત્યક્ષ ઉત્પાદચક્ર ન હોય એમ આવતા એવા તે કુમારને જોઇને સહસા જ જેના હૃદયમાં ધ્રાસકો પડ્યો છે એવો, સામે થવા માટે અસમર્થ એવો નાટ્યોન્મત્ત વિદ્યાધર ચોરની જેમ જ પલાયન થઇને ઉત્તર શ્રેણિના સ્વામી, સર્વ પ્રકારે અત્યંત પ્રબલ એવા વાયુવેગ વિદ્યાધર રાજાના શરણે ગયો. ત્યારે ગર્વિત થયેલા અરુણદેવે દૂતના મુખથી વાયુવેગ વિદ્યાધર રાજાને આ પ્રમાણે કહ્યું: ભો ! વિદ્યાધરાધિપ ! દુર્નીતિ કરનારા અને બળતી ગાડરીની જેમ પોતાના સ્થાનમાં=ઘરમાં પ્રવેશ આપતો તું પણ હમણાં નહીં રહે. અર્થાત્ તારો પણ હું નાશ કરીશ. કારણ કે સુકું બળે છતે લીલાને પણ બાળે છે. તેથી કહ્યું છે કે,
સર્વ્યથા નષ્ટનેવ્ય, વિષષે વૃત્તશાલિનામ્ । वारिहारिघटीपार्श्वे, ताड्यते पश्य झल्लरी ॥ १ ॥
૧. આ શ્લોકનો અર્થ બરાબર સમજાયો નથી. આ જ શ્લોક રૂપસેન ચરિત્રમાં થોડા ફેરફાર સાથે આપેલ છે. જેમકે-- સર્વથા પૌરસંગો દિ, વિરે વ્રતશાન્તિનામ્। બનારિષટીપાર્શ્વ, તાડ્યતે પશ્ય જ્ઞાન્તરી ॥ ૨૦૭ ||