________________
૧૮૮
આચારપ્રદીપ
સદ્ આચરણવાળાઓને નષ્ટ પામેલા (ભ્રષ્ટ થયેલા)ઓનું નિકટપણે હંમેશા વિપત્તિ માટે થાય છે. અરઘટ્ટની પાસે રહેલી ખંજરી તાડન કરાય છે તે તું જો .
તેથી જો તું પોતાના કલ્યાણને ઇચ્છે છે તો કીડાથી ખદબદતા કુતરાની જેમ આને પોતાના ઘરમાંથી વિલંબ વિના જ બહાર કાઢ. ઇત્યાદિ દૂતના મુખથી સાંભળીને અસાધારણ અભિમાનના આવેશવાળા વાયુવેગે તે દૂતના મુખે જ કુમારને ઉત્તર કહેવડાવ્યો. જેમ કે, જો કુમાર ! આવા પ્રકારના વાણીના આડંબરથી કાયર પુરુષો જ બીવડાવી શકાય છે. પણ ત્રણ જગતમાં અમારા જેવા એક વીરપુરુષો બીવડાવી શકાતા નથી. સિંહની આગળ હરણની જેમ વિદ્યાધરાધિપ એવા મારી આગળ પૃથ્વી ઉપર | વિચરનાર કુમારમાત્ર એવો તું શું વિસાતમાં છે ? તેથી શરણે આવેલા આનું હું રક્ષણ
શા માટે ન કરું? કારણ કે, શરણે આવેલાનું પાલન કરવું એ બધાનો શ્રેષ્ઠ ધર્મ છે. અને - ક્ષત્રિયોમાં મુકુટ સમાન અમારા જેવાઓને તો શરણે આવેલાઓનું પાલન કરવું એ વિશેષથી ધર્મ છે. કહ્યું છે કે,
आपन्नस्यातिहरणं, शरणागतरक्षणम् ।
ત્યા': પુષ્યાનુશ, રાજ્યનીતાવુઃ || 8 || આપત્તિમાં પડેલાઓના દુઃખને દૂર કરવું, શરણે આવેલાઓનું રક્ષણ કરવું, દાન આપવું, પુણ્યમાં અનુરાગ કરવો એ રાજ્યલક્ષ્મી રૂ૫ વેલડી માટે મેઘ વૃષ્ટિ સમાન છે.
તેથી આના અનર્થને વિચારતો તું જ અનર્થને પામીશ. ઈત્યાદિ દૂત વડે કહેવાયેલા ગર્વ સહિતના તેના વચનને સાંભળવાથી ઉલ્લાસિત થયેલા કોપવાળા, બંને રીતે પણ મહાબળવાળા એટલે કે મહાબળવાળા અને મહાસૈન્યવાળા એવા અરુણદેવે મહાબલ વાસુદેવની જેમ વાયુવેગ વિદ્યાધર રાજાના નગરને ચારે બાજુથી પણ ઘેરી લીધું. અને અતિશય પ્રબલ મહાવિદ્યા આદિથી દુદત ચતુરંગ સૈન્યયુક્ત એવા તે વાયુવેગ વિદ્યાધર રાજાએ પણ જલદીથી જ તૈયાર થઈને મહાયુદ્ધ શરૂ કર્યું અને દેવ અને દાનવની જેમ તે બંનેના અતિ ઉભટ મહાસુભટોનો અગ્નિ અસ્ત્ર સામે જલ અસ્ત્ર, મેઘ અસ્ત્ર સામે પવન અસ્ત્ર, નાગપાસ અસ્ત્ર સામે ગરુડ અસ્ત્ર, તામસાસ્ત્ર સામે સૂર્યાસ્ત્ર, સંમોહન અસ સામે જાગરણ અસ્ત્ર, ખુરપ્ર અસ્ત્ર સામે સર અસ્ત્ર, શક્તિ અસ્ત્ર સામે ચંદ્રહાસ અસ્ત્ર વગેરે વિવિધ પ્રકારના વિદ્યાશસ્ત્રથી લોકોના ચમત્કારને વિસ્તારનારો સાત દિવસ સુધીનો મહાદાવાનલ જેવો અનેક જીવોનો સંહાર કરનારો, અતિદારુણ મહાન સંગ્રામ થયો. આઠમા દિવસે મહાકોપના અતિશય આવેગવાળો વાયુવેગ મહાદર્પવાળા સર્પની જેમ સ્વયં જ યુદ્ધ કરતો ચારે બાજુથી પણ શત્રુસમૂહને ત્રાસ પમાડતો પ્રબલ ગાડિક જેવા પૂર્વના પ્રબલ પુણ્યવાળા