________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
ખાતી, તિલક વગેરે ચૌદ આભરણોથી ચારે બાજુથી અતિશય શોભતી દેવકન્યા જેવી એક કન્યાને જુએ છે. તેણીએ પણ રૂપથી જેણે કામદેવને જીતી લીધા છે એવા તે કુમાર ઉપર તરત જાણે અર્ધાંજલી ન હોય, જાણે પ્રથમ દર્શનનું ભેટણું ન હોય, જાણે પોતાના હૃદયનું રહસ્ય ન હોય, જાણે અભિનવ અનુરાગનું સર્વસ્વ ન હોય, એવો પ્રથમ પ્રેમને પ્રગટ કરવામાં ચતુર, લક્ષ્યને વિંધનારો ગાઢ જાણે અમૃતનો ઉત્કેપ ન હોય એવો કટાક્ષનો ઉત્સેપ કર્યો. ત્યાર પછી ઝણઝણિત થયેલા હૃદયવાળો, નવા મેઘની ધારાથી હણાયેલા કદંબ પુષ્પની જેમ જાણે સર્વ અંગે ઉલ્લસિત થયો ન હોય, આકર્ષણ વિદ્યાથી જાણે આકર્ષાયેલો ન હોય, તેણી વડે જાણે વશ કરાયેલો ન હોય, ગાઢ અનુરાગથી જાણે પ્રેરણા કરાયેલો ન હોય તેમ દોડતો એવો તે જેટલામાં નજીક આવ્યો તેટલામાં વીજળીના ચમકારાની જેમ સંસારના સંયોગોની તત્ક્ષણ જ ભંગુરતા બતાવવા માટે ન હોય તેમ તેણી અંજનસિદ્ધયોગિનીની જેમ એકાએક જ કુમારના હર્ષની સાથે અદૃશ્ય થઇ ગઇ. અર્થાત્ તે કન્યા અદૃશ્ય થઇ તે સાથે કુમારનો આનંદ પણ અદૃશ્ય થઇ ગયો.
ܗ
૧૭૭
ત્યાર પછી તે રાજપુત્ર ફાળ ચૂકેલા વાંદરાની જેમ, લક્ષ્ય ચૂકેલા ધનુર્ધરની જેમ, દાવ ચૂકેલા જુગારીની જેમ, રસોઇની ક્રિયાથી ચૂકેલા રસોઇયાની જેમ અત્યંત નિસ્તેજ મુખવાળો તેણીને શોધવા માટે જેટલામાં અહીં તહીં ભમે છે, તેટલામાં ધો૨ હુંકારા ક૨વામાં તત્પર એવા મહારાક્ષસની જેમ વિદ્યુન્મત્ત નામના વિદ્યાધરે હાકલ કરી કે, રે રે ! ભૂચર ! સિંહની જેમ ખેચોમાં શેખર એવા મારા વડે ઇચ્છાયેલી આ મૃગાક્ષી (=સ્ત્રી)ની અભિમાની ધુતારાની જેમ તું ઇચ્છા કરે છે ? તેથી હમણાં તું નહીં રહે, અર્થાત્ તારું નામ નિશાન નહીં રહે. ઇત્યાદિ બોલતા તે ખેચરને અપ્રતિહત સાહસવાળો, ઉલ્લાસ પામતા પરાક્રમના એક રસવાળો, પરાક્રમીઓમાં મુકુટ સમાન એવો તે કુમાર કહે છે કે, સંહો ! વિદ્યાધર ! વિદ્યાધરપણાથી તું ગર્વવાળો ન થા. કારણ કે પૃથ્વી ઉપર ઉત્પન્ન થયેલા સર્વરત્નો પહેલા તો સર્વસાધારણ જ હોય છે. પછી તો જે સમર્થ હોય છે તે તે રત્નોને ભોગવે છે. કારણ કે પૃથ્વી વીરપુરુષો વડે ભોગવવા યોગ્ય છે. આ પ્રમાણે બોલતા એવા તે કુમારને સર્વસ્વને હરનારાની જેમ અર્થાત્ ચોરની જેમ મારવા માટે અતિશય ગુસ્સે થયેલો, યમરાજની જીભ જેવી ભયંકર તલવાર જેના હાથમાં છે એવો તે વિદ્યાધર ભયાનક વેતાલની જેમ દોડ્યો. તેથી મલ્લની સામે પ્રતિમલ્લ થાય તેમ વિષ્ણુકુમાર જેવા પરાક્રમવાળો તે કુમાર પણ ભયંકર એવી પોતાની તલવારને ખેંચીને તે વિદ્યાધરની સામો થયો. અને અન્યોઅન્યના ઘાને ઠગવામાં નિપુણ, મહાપરાક્રમ એ જ છે ધન જેઓનું એવા તે બંનેનું દેવોને પણ ચમત્કાર કરનારું ક્ષણવારમાં અતિ ભયંકર ખડ્ગાખડ્ગી અર્થાત્ તલવારની સામે તલવારથી યુદ્ધ થયું અને આ બાજુ તે કુમારમાત્ર