________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
૧૭૯
તે રાજપુત્રને ઉપાડીને અતિ દૂર આકાશમાં ઉછાળ્યો. અને તત્કાળ તે કુમાર ક્યાંય પણ મોટી ગુફા જેવા મોટા કૂવામાં પડ્યો. ભાગ્યયોગે કાદવવાળા પાણીની અંદર પડવાથી નહીં ફૂટેલા અંગોપાંગવાળો હોવા છતાં પણ બહાર નીકળવાના ઉપાયને નહીં જોવાથી જીવવાની આશંસાનો જેણે ત્યાગ કર્યો છે એવો તે કોઈ પણ રીતે ત્યાં ખરાબ સ્થિતિથી રહે છે. અધધ...! મોટાઓને પણ મોટા સંકટમાં પડવાનું થાય છે. અથવા તો કાળના વશથી પરાક્રમથી શક્ર જેવો પણ કોણ એક સાથે આવેલા સુખ અથવા દુઃખને પ્રચંડ સમુદ્રના પાણીની જેમ રોકવા માટે સમર્થ છે? કહ્યું છે કે,
रामे प्रव्रजनं बलेनियमनं पाण्डोः सुतानां वनं, वृष्णीनां निधनं नलस्य नृपते राज्यात्परिभ्रंशनम् । कारागारनिषेवणं च मरणं संचिन्त्य लङ्केश्वरे, સર્વ વાનવાવાપતિ નર: વ: વ પત્રિાયતે ? | { } [પશ્ચતત્ર-૨૧૭]
રામચંદ્રને સંન્યાસાશ્રમની પ્રાપ્તિ થવી, બલીરાજાને બંધન થવું, પાંડુના પુત્રોને વનવાસ થર્વો, યાદવવંશીઓનો નાશ થવો, નળ રાજાનું રાજયથી ભ્રષ્ટ થવું, રાવણનું બંદીખાનાનું સેવન અને મરણ થવું ઇત્યાદિ વિચારીને બધું કાળના વશથી જ થશે તેથી કયો નર કોનું રક્ષણ કરે ?
તેવા પ્રકારની વિષમ પરિસ્થિતિ આવી પડે છતે પણ મહાનુભાવ એવો તે ભાગ્યને પરાધીન હોવાથી દીનતાને ધારણ કરતો નથી. કારણ કે,
यो मे गर्भगतस्यापि, वृत्तिं कल्पितवान् पयः । शेषचिन्ताविधानेऽपि, स किं सुप्तोऽथवा मृतः ॥ १ ॥ [ पुरातनप्रबन्ध-२७०]
ગર્ભમાં રહેલા એવા પણ મારી આજીવિકા માટે જેણે (માતાના સ્તનમાં) દૂધની રચના કરી, બાકીની આજીવિકાની ચિંતા કરવામાં પણ તે શું સૂઈ ગયો છે કે મરી ગયો છે? एकोऽस्ति यस्त्रिजगतामुदयाय हेतुमां विस्मरिष्यति कथं तमनुस्मरन्तम् । पाताललग्नधरणीरसकर्षणेन, वृक्षान् करोति सफलान् गिरिकन्दरस्थान् ॥ २ ॥
જે એકલો ત્રણ જગતના ઉદયનું કારણ છે, જે પાતાળમાં રહેલા ધરણીરસ (=પાણી)ને ખેંચીને ગિરિગુફામાં રહેલા વૃક્ષોને ફળવાળા કરે છે તે (ભાગ્ય)ને યાદ ' કરતા એવા મને તે કેવી રીતે વિસરી જશે ?