________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
૧૫૫
સંઘે હાથીના સ્કંધે આરૂઢ કરીને મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. અને શ્રી સંઘે મલ્લ મુનિને અરજ કરીને તે ગ્રંથની શરૂઆતમાં આ આર્યા લખી...
ગતિ જયતિનિશેષવિપક્ષનવિલાઃ |
श्रीमल्लवादिसूरिजिनवचननभस्तलविवस्वान् ॥ १ ॥ " નયચક્રથી જીતી લીધા છે સઘળા ય શત્રુઓના લાખો પરાક્રમોને જેણે, જિનવચનરૂપી આકાશતલમાં સૂર્ય સમાન એવા શ્રી મલવાદી સૂરિ જયવંતા વર્તે છે.
વળી તેમણે ચોવીસ હજાર શ્લોક પ્રમાણ પદ્મચરિત્રની રચના કરી. અજિત શે. પ્રમાણ ગ્રંથ અને વિશ્રાંત વિદ્યાધરે રચેલા વ્યાકરણ ઉપર ન્યાસ એમ બે ગ્રંથોની રચના કરી. અને યક્ષે અષ્ટાંગનિમિત્ત સંહિતા નામના ગ્રંથની રચના કરી. ગુરુ ભગવંતે મલ્લમુનિને સૂરિપદે સ્થાપિત કર્યા. ભરુચમાં બુદ્ધાનંદ સાથે છ મહિના સુધી વાદ કર્યો. કોઈક ગ્રંથમાં છ દિવસ સુધી વાદ કર્યો એમ લખ્યું છે. નયચક્ર ગ્રંથના અભિપ્રાયથી પૂર્વપક્ષ કરાવે છતે તેનું અવધારણ કરવામાં અસમર્થ, વાદીએ કહેલું યાદ રાખવા માટે રાત્રીએ ખડી હાથમાં લઈને લખતો, અને તેનું વિસ્મરણ થવાથી અત્યંત ખેદ પામેલો બુદ્ધાનંદ હૃદય ફૂટી જવાથી મરણ પામ્યો. અને સવારે શાસનદેવીએ તેનું સ્વરૂપ જણાવીને મલસૂરિ ઉપર પુષ્પવૃષ્ટિ વગેરે કર્યું. અને રાજાએ “વાદી એ પ્રમાણે બીરુદ આપ્યું. બ્રાહ્મણોને દેશમાંથી કાઢી મૂક્યા તે ફરી પાછા આવ્યા જ નથી. મરીને દુષ્ટ વ્યંતર થયેલો બુદ્ધાનંદ શ્રી મલ્લ મુનિએ રચેલા બે ગ્રંથનો અધિષ્ઠાયક થઈને રહેલો તે ગ્રંથ કોઈને વાંચવા દેતો નથી. આ સંબંધ પ્રભાવક ચરિત્ર વગેરેમાં છે.
જ્યારે મલ્લધારી રાજશેખર સૂરિએ રચેલા પ્રબંધોમાં તો આ પ્રમાણે છે- ગુજરાતમાં ખેટમહાસ્થાન નામના નગરમાં દેવાદિત્ય નામના બ્રાહ્મણની સુભગા નામની બાળવિધવા પુત્રી હતી. સૂર્યનો મંત્ર જપવાથી આકર્ષાયેલા સૂર્યે બળાત્કારે ભોગવી. દિવ્યશક્તિથી ગર્ભવતી થઈ. પિતાએ ઠપકો આપ્યો. સાચું સ્વરૂપ કહે છતે પિતાએ લજ્જાથી વલ્લભીપુર મોકલી. પુત્ર અને પુત્રી રૂપ યુગલને જન્મ આપ્યો. દિવ્ય રૂપવાળા, આઠ વર્ષના થયેલા તે બંને લેખશાળામાં ભણે છે. આ બાપ વિનાનો છે અર્થાત્ ન બાપીયો છે એમ છોકરાઓએ મશ્કરી કરી. એટલે તેણે માતાને પ્રશ્ન કર્યો કે મારા પિતા કોણ છે? માતાએ કહ્યું કે હું જાણતી નથી. ખેદથી મરવા માટે ઇચ્છતા પુત્રને સાક્ષાત્ થઈને સૂર્યે કહ્યું કે, હે વત્સ ! હું તારો પિતા છું. જે તારો પરાભવ કરે તેને તારે કાકરાથી મારવો. તેથી તે છોકરાઓને તે રીતે મારતો. વલ્લભીપુરના રાજાએ તેની તર્જના કરી. તે વલ્લભીપુરના રાજાને જીતીને સ્વયં શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરનારો શિલાદિત્ય નામનો જૈન રાજા થયો. તેણે પોતાની બહેન ભરુચના