________________
આચારપ્રદીપ
તે ચારિત્રની આરાધના કરવામાં નિષ્ણાત એવા મહર્ષિઓને અનંત ભવમાં ભેગા કરેલા તીવ્ર અને તીવ્રતર સંપૂર્ણ કર્મનો ક્ષય આદિ ફળ પ્રાપ્ત થાય છે તે કેટલું કહીએ. કારણ કે મહર્ષિ ઉપરનું માત્ર બહુમાન પણ સિદ્ધવૈદ્ય જીવ જે વાનર થયો છે તેની જેમ અમાત્ર=ઘણું ફળ આપે છે.
તે વાનરનું કથાનક આ પ્રમાણે છે—
૧૬૬
સિદ્ધવૈદ્યજીવ વાનરનું દૃષ્ટાંત
અહીં આ લોકમાં પુરુષાર્થના પરમાર્થને સાધવામાં સમર્થ સમસ્ત જનમાં ગૌરવવાળી કાંતિમતી નામની નગરી હતી. તેમાં પ્રશસ્ત પુરુષોમાં પણ અતિનિપુણ હોવાના કારણે માનનીય, નિર્દોષ વૈદ્યવિદ્યાની સમૃદ્ધિથી પ્રસિદ્ધ સિદ્ધ નામનો મહાવૈદ્ય રહેતો હતો. અહીં ગાથાઓ આ પ્રમાણે છે. અને તે મહાવૈદ્યમાં અનંત ભવાંતરોમાં ઘણા કાળ સુધી અતિશય પરિચય કરવાના કા૨ણે જાણે મૂર્તિમાન મહામોહ ન હોય એમ નિત્ય મહાલોભ નિવાસ કરી રહેલો હતો. જે રીતે નરકાવાસોમાં નિરંતર ઘોર અંધકારનો સમૂહ હોય છે અને જે રીતે નારકોમાં અતિશય દુ:ખ હોય છે તે રીતે જીવોમાં અધિક લોભ હોય છે. જે રીતે દુર્ગાયથી ધનનો નાશ થાય. ધૂમથી ચિત્રનો નાશ થાય, અંધકારથી નેત્રનો નાશ થાય, કપટથી મિત્રનો નાશ થાય તે રીતે લોભથી તેનું નિપુણપણું નાશ પામ્યું હતું.
તેથી જાણે ભૂતથી પરાભવ પામેલો ન હોય તેમ લોભથી પરાભવ્ર પામેલો તે સ્વજનને ગણકારતો નથી. પોતાના મિત્ર અને પરિવારની ચિંતા કરતો નથી. દીન-દરિદ્ર અને દુઃખી લોકોની સામુ જોતો નથી. પુણ્ય અને પાપના વિપાકની વિચારણા કરતો નથી. નીતિશાસ્ત્રોને પણ યાદ કરતો નથી. ધર્મશાસ્ત્રોને હાથમાં પણ લેતો નથી. સંતોષવૃત્તિને સ્વપ્રમાં પણ ભાવતો નથી. જન અપવાદ અને કુકીર્તિને ગણકારતો નથી. ઘણું શું કહીએ ? રીંગણી ઔષધવિશેષ, ગલોઇ=ગુસૂચિ વેલડીવિશેષ, હરડે, ગિરિકર્ણ લતાવિશેષ, ઇંદ્રવારુણી લતાવિશેષ,ગોખરું, પુંઆડ, ધતૂરો, ધમાસો, તગર, એરંડો, આકડો, થોર, પીપળો, બીલી, ઉંબરો, ખાખરો, મૂળા, મહુડા, કોઠા, શુકશીંબી, અજમો ઇત્યાદિ અનેક સ્થાને સુવર્ણ કંટિકા, સુવર્ણ મક્ષિકા, અમૃતવેલી, અમૃતા, અભયા, અપરાજિતા, વિસાલા, હસ્તિચમત્કાર, ચક્રમર્દકસુવર્ણ, ગગનમંડપ, નરિદપવનારિ, સહસ્રકિરણ, મહાતરુ, શ્રીવૃક્ષ, શ્રીફળ, હેમદુગ્ધક, બ્રહ્મપાદપ, હસ્તિદંતક, મહાદુમ, દધીફલક, આર્ત્તગુપ્તા, આસુરીદીપકા વગેરે ઘણાં પ્રકારના ઔષધિના અપ્રસિદ્ધ નામના આડંબરથી અને અનેક કૃત્રિમ ૨સ અને રસાયણ કરવા વડે સર્વ પણ નગરના લોકને ઠગે . છે. ફૂટ કપટથી અતિઘણું ધન ભેગું કર્યું. ઘણી ધન સંપત્તિમાં આનંદ પામે છે. પરલોકની