________________
આચારપ્રદીપ
રાજાને આપી. અને તેનો પુત્ર મલ્લ થયો. એક વખત જે હારે તે દેશનો ત્યાગ કરે એવી પ્રતિજ્ઞાપૂર્વક વલ્લભીપુરીમાં વાદ થયે છતે ભાગ્યયોગે બૌદ્ધો વડે જીતાએ છતે સર્વ જૈન સાધુઓ વિદેશમાં ગયા. શિલાદિત્ય રાજા બૌદ્ધ થયો. શત્રુંજય તીર્થમાં રહેલા શ્રી ઋષભને બૌદ્ધોએ બુદ્ધ કરીને પૂજ્યા. પોતાનો પતિ મૃત્યુ પામે છતે વૈરાગ્ય પામેલી શિલાદિત્ય રાજાની બહેને પુત્રની સાથે સુસ્થિત આચાર્યની પાસે દીક્ષા લીધી. મલ્લમુનિએ એક વખત માતાને પૂછ્યું કે, આપણો સંઘ નાનો કેમ છે ? માતાએ સાધુનો અભાવ થયો વગેરે સ્વરૂપ કહ્યું. ત્યારે તેણે બૌદ્ધોને જીતવા માટે પ્રતિજ્ઞા કરીને પર્વત ઉપર જઇને તીવ્ર તપ કર્યો. મિષ્ટ શું છે ? ઇત્યાદિ પૂર્વે કહેલી પરીક્ષાથી તુષ્ટ થયેલી શાસનદેવીએ નયચક્ર નામનું પુસ્તક આપ્યુ. અને બાળક હોવાના કારણે તેણે તે પુસ્તકને ભૂમિ ઉપર મૂક્યું. આથી ગુસ્સે થયેલી દેવીએ કહ્યું કે, હું તારું સાન્નિધ્ય કરીશ પણ હવે પ્રત્યક્ષ નહીં થાઉં. ત્યાર પછી વાદમાં છ મહિનાના અંતે બૌદ્ધ આચાર્યનું મરણ ઇત્યાદિ થયું. વલ્લભીપુરનો ભંગ થશે એ પ્રમાણે જાણીને વલ્લભીપુરનો ભંગ થાય તે પૂર્વે જ મલ્લવાદી સૂરિ પરિવાર સહિત બીજી જગ્યાએ વિહાર કરી ગયા. આ પ્રમાણે મલ્લવાદી સૂરિનો પ્રબંધ પૂર્ણ થયો. હવે...
૧૫૬
શ્રી શાંતિસૂરિનો પ્રબંધ
થારાપદ્ર ગચ્છમાં શ્રી વિજયસિંહ સૂરિની પાટે શ્રી શાંતિસૂરિ અણહિલ્લપુરમાં શ્રી ભીમરાજાની સભામાં કવીન્દ્ર ચક્રવર્તી રૂપે પ્રસિદ્ધ થયા. કોઇક વખત જેને સરસ્વતી સિદ્ધ થઇ છે એવો ધનપાલ પંડિત માલવ દેશમાંથી તિલકમંજરી કથાનું ગુરુ પાસે સંશોધન કરાવવા માટે આવ્યો. તે અવસરે ગુરુ દેવતાનું ધ્યાન કરતા હોવાથી ધનપાલે નાના એક નવા સાધુને વિષમ કાવ્યનો અર્થ પૂછ્યો અને તેણે પણ તરત જ અર્થ કહ્યો. અને (જીવની સ્થાપના આદિનો) ઉપન્યાસ કર્યો. આથી ધનપાલ કવિ ચમત્કાર પામ્યો. તેણે ગુરુને આગ્રહપૂર્વક માલવ દેશમાં પધારવા વિનંતી કરી. આથી ગુરુ ભગવંતો માલવ દેશમાં વિચર્યા. રસ્તામાં રાત્રીના સમયે સરસ્વતીએ કહ્યું કે, તું હાથ ઊંચો કરીશ એટલે સઘળા ય વાદીઓ નાશી જશે, અર્થાત્ પરાભવ પામશે. શ્રી ભોજરાજા ધારા નગરીમાંથી પાંચ ગાઉ સુધી ગુરુની સામે આવ્યો. ભોજરાજાને કોઇથી પણ ન જીતી શકાય એવા પાંચસો શ્રેષ્ઠ વાદીઓ હતા. તેથી એક એક વાદીને જે જીતશે તેને હું એક એક લાખ રૂપિયા આપીશ એ પ્રમાણે રાજાએ પ્રતિજ્ઞા કરી. સૂરિએ ઊંચો હાથ કરીને ચોર્યાસી વાદીઓને જીતી લીધા. આથી રાજાએ ચોર્યાસી લાખ રૂપિયા સૂરિને આપવાના થયા. જો પાંચસો વાદીઓને જીતશે તો પાંચ ક્રોડ આપવાના થશે એથી ભય પામેલા રાજાએ અહીં શું કરવા યોગ્ય છે એ પ્રમાણે પંડિત ધનપાલને પૂછ્યું. તેણે કહ્યું કે, તિલકમંજરી કથાના સંશોધન માટે લાવવામાં આવેલા આ શાંતિસૂરિ બહુમાન કરવા યોગ્ય છે. રાજાએ કહ્યું