________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
૧૫૭
• કે નામથી શાંતિ છે પરંતુ વાદીઓમાં વેતાલ છે. તેથી વાદિવેતાલ એ પ્રમાણે બિરુદ પ્રસિદ્ધ થયું.
- હવે રાજાએ જે ચોર્યાસી લાખ આપવાના હતા તે ગુજરાતના લાખ અહીંના પંદર હજાર હિસાબે (૧૫ X ૮૪ = ૧૨,૬૦,૦૦૦) બાર લાખ અને સાઈઠ હજાર રૂપિયા રાજાએ સૂરિને આપ્યા. સૂરિએ તે દ્રવ્યથી (તે દ્રવ્યમાંથી બાર લાખથી) માલવ દેશની અંદર જૈન મંદિરો કરાવ્યા અને સાઈઠ હજારથી થરાદમાં જૈન મંદિરમાં દેવકુલિકા વગેરે કરાવ્યું. અને તે શાંતિસૂરિએ તિલકમંજરી કથાનું સંશોધન કર્યું. કોઈ વખત પાટણમાં શ્રેષ્ઠી જિનદત્તનો પુત્ર સર્પથી દંશાયો. માંત્રિકોએ જીવવાની આશાથી છોડી દીધો. અર્થાત્ માંત્રિકોને તેના જીવવાની આશા ન રહી એટલે ઉપચાર કરવાનું છોડી દીધું. તેથી તે ખાડામાં દાટી દેવામાં આવ્યો. આચાર્ય શાંતિ સૂરિએ ભૂમિની અંદરથી તેને બહાર કઢાવી અમૃતતત્ત્વને યાદ કરીને હાથના સ્પર્શથી જીવતો કર્યો. હવે તે શાંતિ સૂરિ પોતાના બત્રીશ શિષ્યોને વિષમ તર્કોને ભણાવી રહ્યા છે. કોઈ વખત દુઃખે કરી જાણી શકાય એવા અર્થને વારંવાર કહેવા છતા શિષ્યો તેને જાણી શકતા નથી. આથી શાંતિ સૂરિ નિર્વેદ પામ્યા. તે વખતે નકુલનગરમાંથી (ભણવા માટે) આવેલા મુનિચંદ્ર સૂરિએ પંદર દિવસ સુધી ઊભા રહેલા જ અર્થાત્ ઊભા ઊભા જ પુસ્તક વિના જ શ્રુત અને તેનો ગ્રંથ જોયા વિના જ ગુરુનો આદેશ લેવા પૂર્વક આખા ગ્રંથનું સારી રીતે વ્યાખ્યાન કર્યું. તેથી આનંદિત થયેલા ગુરુએ સન્માન કર્યું. અને ષડૂતર્કી અર્થાત્ ષદર્શન તેમને ભણાવ્યા. એક વખત ધનપાલ પંડિત વડે પ્રશંસા કરાયેલા શ્રી શાંતિસૂરિની પરીક્ષા કરવા માટે ધર્મ નામનો વાદી બંધ દરવાજાવાળા તેમના ઉપાશ્રયમાં દરવાજાના ચાવી લગાડવાના કાણામાંથી જેમણે પોતાના શરીરમાં કંડુ નામની ઔષધી ચોપડી છે એવા સૂરિને જોઈને પૂછયું કે તું કોણ છે? સૂરિએ કહ્યું કે દેવ. વાદીએ કહ્યું કે, દેવ કોણ ? સૂરિએ કહ્યું કે, હું. વાદીએ કહ્યું કે, હું કોણ ? સૂરિએ કહ્યું કે, કૂતરો. વાદીએ કહ્યું કે, કૂતરો કોણ? સૂરિએ કહ્યું કે, તું. વાદીએ કહ્યું કે, તું કોણ ? સૂરિએ પૂર્વની જેમ જ ઉત્તર આપ્યો. અર્થાત્ હું દેવ. આ પ્રમાણે ફરી તેના તે જ જવાબ રૂ૫ ચક્રથી ધર્મ નામનો વાદી ચમત્કાર પામ્યો. પછી દ્વાર ઉઘાડીને તર્કવાદી શાંતિસૂરિએ ધ્યાન વગેરેમાં પણ તેને જીત્યો. - એક વખત અવ્યક્ત ભયંકર શબ્દ કરતા દ્રવિડ દેશના વાદીને સામેની ભીંત ઉપર રહેલા (ચીતરેલા) ઘોડાને પોતાનો હાથ આપીને અર્થાતુ ઘોડા ઉપર પોતાનો હાથ ફેરવીને શાંતિસૂરિએ તે ઘોડાને બોલતો કર્યો. કારણ કે અવ્યક્તવાદનો પ્રતિવાદી પણ પશુ જ યોગ્ય છે. અર્થાત્ વાદી જો પશુ હોય તો પ્રતિવાદી પણ પશુ જ કરવો યોગ્ય છે. સૂરિ વડે તે વાદી પણ જીતાયો. શાંતિ સૂરિએ ઉત્તરાધ્યયન સૂત્રની બૃહવૃત્તિની રચના