Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 171
________________ આચારપ્રદીપ લાગ્યા. તેથી ભય પામેલા રાજાએ તે સાધ્વીજીને છોડી દીધી. અભયકુમાર વગે૨ે બુદ્ધિસિદ્ધ છે. સુવર્ણસિદ્ધિ વગેરેને ઉત્પન્ન કરનારું ચૂર્ણ, નિધિદર્શન, અદૃશ્યીકરણ (=અદૃશ્ય થવું) આદિ અંજન રૂપ અને પાદલેપ આદિથી આકાશમાં ઉડવું, સૌભાગ્ય અને દૌર્ભાગ્ય વગેરેને સાધનારો યોગ છે. ગર્દભિલ્લ રાજાનો ઉચ્છેદ કરનારા અને ઇંટના નિભાડાને સુવર્ણમય કરનારા શ્રી કાલકાચાર્ય, પાદલપથી દરરોજ શ્રી શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સમ્મેતશિખર આદિ તીર્થની યાત્રા કરનાર અને નાગાર્જુન યોગીને પ્રતિબોધ કરનાર ‘હાનુઅનેળ નિળ’ એ સ્તવનમાં બે ગાથાની અંદર સુવર્ણસિદ્ધિને ગુપ્ત કરનાર શ્રી પાદલિપ્તસૂરિ અને શ્રી વજસ્વામીના મામા આર્યસમિતસૂરિ કે જેમણે બે નદીની વચ્ચે રહેલા બ્રહ્મદ્વીપમાં રહેલા પાદલેપથી પાણી ઉપર આગમન ક૨વાથી આશ્ચર્યચકિત કર્યા છે લોકને જેમણે એવા, ગુરુના કહેવાથી શ્રાવકો વડે આમંત્રણ આપીને બળાત્કારે જેમના પગ ધોવાયા છે એવાં, પાછા જવામાં નદીમાં ડૂબવાથી લજ્જાને પામેલા એવા તાપસોને યોગચૂર્ણ નાખવાથી નદીના બે કિનારા ભેગા થતા બતાવવાથી પ્રતિબોધ કર્યા. આ બધા યોગસિદ્ધ છે. ૧૬૨ કવિઓ— કવિઓ બે પ્રકારના છે. તેમાં પહેલા પ્રકારમાં જિનશાસનના રહસ્યોને જાણતા હોવાથી અદ્ભૂત અર્થવાળા શાસ્ત્રોને રચનારા છે. જેથી કહ્યું છે કે, જિનશાસનને જાણનારો અદ્ભૂત અર્થવાળા શાસ્ત્રોને રચનારો સુકવિ છે. તત્ત્વાર્થાધિગમસૂત્ર, પ્રશમતિ આદિ શાસ્ત્રોને રચનારા ઉમાસ્વાતિ મહારાજા, સમરાદિત્યચરિત્ર, અનેકાંતજયપતાકા, અનેકાંતમતપ્રવેશ, ષોડશક, અષ્ટક, વિશિકા, પંચાશક, પંચવસ્તુક આદિ (લગભગ) પંદરસો પ્રકરણોને રચનારા શ્રી હરિભદ્રસૂરિ, ભવભાવના અને પુષ્પમાલા એ બે ગ્રંથો અને તેની વૃત્તિ, વિશેષાવશ્યક, અનુયોગદ્વારની વૃત્તિ, શ્રી આવશ્યક સૂત્રની વૃત્તિ, ટિપ્પણક આદિ અનેક ગ્રંથને રચનારા મલધારીશ્રી હેમચંદ્રસૂરિ, ઘણા સિદ્ધાંતોની વૃત્તિ રચનારા શ્રી મલયગિરિ, પ્રમાણમીમાંસા, ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર, શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણ આદિ ત્રણ ક્રોડ શ્લોક પ્રમાણ ગ્રંથોને રચનારા, શ્રી કુમારપાળ રાજાને પ્રતિબોધ કરનારા શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે સુકવિઓ જાણવા. અતિશયથી યુક્ત એવી કવિત્વકલામાં કુશલ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ, ભક્તામર સ્તવનને રચનારા શ્રી માનતુંગસૂરિ, શ્રી બપ્પભટ્ટસૂરિ, સ્થાને સ્થાને કવિત્વ કલાથી આશ્ચર્યચકિત કરીને શ્રી ભોજરાજાને જેણે શિકાર અને યજ્ઞ આદિ કુકર્મનો ત્યાગ કરાવેલો છે એવા ધનપાલ પંડિત વગેરે બીજા નંબરના કવિઓ જાણવા. શ્રી નિશીથ વગેરેમાં તો પ્રભાવકો આ પ્રમાણે કહેલા છે— अइसेसिड्डि १ धम्मकहि २ वाई ३ आयरिय ४ खवग ५ नेमित्ती ६ । विज्जा ७ रायागणसम्मओ अ ८ तित्थं पभाविति ॥ १ ॥ [ निशीथ - ३३]

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310