________________
૧૬૦
આચારપ્રદીપ
રાજાને કહ્યું કે, કઈ બાજુ બ્રાહ્મણોને પ્રણામ કરીએ? રાજાએ કહ્યું કે, બધા પણ બ્રાહ્મણો વંદન કરવા યોગ્ય છે. ત્યાર પછી તે મહેન્દ્ર ઉપાધ્યાયે દિવ્યશક્તિથી લાલ સોટી જમાડવાથી રાવણના માથાઓની જેમ બ્રાહ્મણોના માથાઓ ભૂમિ ઉપર આળોટતા બતાવ્યા. તેથી હાહારવ ફેલાયે છતે અત્યંત ખેદ પામેલો રાજા ઉપાધ્યાયના પગે લાગ્યો. ઉપાધ્યાય ભગવંતે કહ્યું કે, જો આ બ્રાહ્મણો દીક્ષા લે તો જ જીવશે. રાજા વગેરેએ તે પ્રમાણે સ્વીકારે છતે ઉપાધ્યાય ભગવંતે શ્વેત સોટી ફેરવવા દ્વારા બધાને સાજા કર્યા. અને દીક્ષા આપી. રાજા વગેરેએ પણ જૈન ધર્મને સ્વીકાર્યો. ત્યાર પછી આર્યખપુટાચાર્ય શ્રી મહેન્દ્ર ઉપાધ્યાયને પોતાના પદે સ્થાપિત કરીને દેવલોકમાં ગયા. આ પ્રમાણે આયખપુટાચાર્યનો પ્રબંધ પૂર્ણ થયો. હવે....
શ્રી જીવદેવસૂરિનો પ્રબંધ વાયડ નામના મોટા સ્થાનમાં શ્રેષ્ઠી ધર્મદેવના દેશાંતરમાં ભટકતા મોટા પુત્ર મહીધરને દિગંબરોએ દીક્ષા આપી અને સૂરિપદે સ્થાપિત કર્યો. અને પરકાય પ્રવેશ આદિ વિદ્યાઓ આપી. ભાઈના વિયોગથી જેણે દીક્ષા લીધી છે એવો મહીપાલ શ્વેતાંબર આચાર્ય થયો. બંને (ભાઈ) આચાર્યો ભેગા થતાં માતાએ અને ભાઇએ આહારની અશુદ્ધિ આદિ ઉક્તિથી બોધ પમાડાયેલો દિગંબરાચાર્ય શ્વેતાંબર થયો. અને જ્યારે સૂરિપણામાં સંસ્થાપન કરવામાં આવ્યા ત્યારે જીવદેવ એ પ્રમાણે નામ કરવામાં આવ્યું. પાંચસો સાધુઓના પરિવારવાળા તેમણે વ્યાખ્યાન વખતે આવેલા પોતાના જીભથી ઘૂંટણ, સાથળ અને પીઠને બાંધી દેનારા, વ્યાખ્યાન કરનારની જીભને ખંભિત કરનારા, સાધ્વીના મસ્તક ઉપર ચૂર્ણ નાખી વશ કરનારા દુષ્ટ યોગીને આસન ઉપર થંભાવી દેવું વગેરેથી નિગ્રહ કર્યો અને ત્યાં જ સૂર્યગ્રહણ વખતે જેણે ધર્મ માટે લાખ દ્રવ્ય વાપરવાનો સંકલ્પ કર્યો છે એવા અગ્નિકુંડમાં યજ્ઞને કરાવતા, ધૂમાડાથી આકુલ થયેલા મહાસર્પને વૃક્ષ ઉપરથી નીચે પાડીને બ્રાહ્મણોએ અગ્નિકુંડમાં નાખ્યો તે જોઈને હાહાકાર કરતા મલ્લ નામના શ્રેષ્ઠીને બ્રાહ્મણોએ કહ્યું કે, આમાં ( યજ્ઞમાં) મરેલા સ્વર્ગમાં જાય છે. આ પ્રમાણે બ્રાહ્મણોએ કહ્યું હોવા છતાં સમાધાન ન થવાથી તેણે પ્રાયશ્ચિત્તની પ્રાર્થના કરી ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે,
અગ્નિકુંડમાં હોમેલા સર્પ કરતાં બમણો =બે ગણો મોટો) સોનાનો સાપ કરાવીને આપ. મલ્લ શ્રેષ્ઠીએ પણ તે પ્રમાણે કર્યું. ત્યાર પછી તે સાપને મંત્રીને ભાગ વહેંચવા માટે બ્રાહ્મણોએ તે સાપના ટુકડા કર્યા એટલે અત્યંત ખેદ પામેલા શ્રેષ્ઠીએ યાગનો ત્યાગ કર્યો. ધર્માર્થી એવો તે ભિક્ષા ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરતા બે સાધુને જોઈને સાધુના કહેવાથી શ્રી જીવદેવ સૂરિની પાસે ગયો. શ્રી જીવદેવસૂરિથી બોધ પામેલો તે શ્રાવક થયો. સંકલ્પ કરેલા દ્રવ્યમાંથી અર્ધી લાખ (કપચાસ હજાર) દ્રવ્ય પૂર્વે બ્રાહ્મણ વગેરે વિષે