________________
આચારપ્રદીપ
કરી. અને તે વૃત્તિમાં રહેલા સ્ત્રી નિર્વાણ સ્થળથી શ્રી મુનિચંદ્રસૂરિના શ્રેષ્ઠ શિષ્ય વાદિદેવ સૂરિએ પાટણમાં દિગંબર કુમુદચંદ્રને જીત્યો. થરાદમાં શાંતિસૂરિના વ્યાખ્યાનમાં દ૨૨ોજ નાગિની દેવી આવે છે. બેસવા માટે તેમના પટ્ટ ઉપર અર્થાત્ તેમના આસન ઉપર સૂરિ વાસક્ષેપ કરે છે. એક વખત વાસક્ષેપ કરવાનું ભૂલી ગયા. તેથી રાત્રીએ આવીને તે નાગિની દેવીએ ગુરુ ભગવંતને ઠપકો આપ્યો કે તેં વાસક્ષેપ ન કર્યો આથી આજે ઊભી રહેલી મારા બંને પગે પીડા થઇ. આ પ્રમાણે વાસક્ષેપ ક૨વાના વિસ્મરણથી તારું આયુષ્ય છ મહિનાનું બાકી રહ્યું છે. તેથી તે સૂરિએ બત્રીશ શિષ્યોમાંથી ત્રણ શિષ્યોને સૂરિપદે સ્થાપિત કરીને શ્રી રૈવત પર્વત ઉપર પચીસ દિવસનું અનશન કરવા દ્વારા વિક્રમથી (૨૦૯૬) બે હજાર છન્નુ વર્ષે વૈમાનિક દેવ થયા. આ પ્રમાણે શાંતિસૂરિનો પ્રબંધ પૂર્ણ થયો. વાદી શ્રી દેવસૂરિનો વૃત્તાંત પ્રાયઃ પ્રતીત જ છે.
૧૫૮
નૈમિત્તિક— શ્રી ભદ્રબાહુ સૂરિ વગેરે નૈમિત્તિકો છે. એક વખત વરાહમિહિરે રાજાની સભામાં કુંડાળું કરેલી ભૂમિમાં બાવન પલ પ્રમાણ માછલું પડશે એ પ્રમાણે કહે છતે શ્રી ભદ્રબાહુ સૂરિએ સાડા એકાવન પલ પ્રમાણ માછલું પડશે અને તે પણ કુંડાળાના કાઠે પડશે એમ કહ્યું. તથા વરાહમિહિરે પોતાના (=રાજાના) પુત્રનું સો વર્ષનું આયુષ્ય નિર્ણીત કરે છતે અર્થાત્ રાજપુત્રનું આયુષ્ય સો વર્ષનું છે એમ જણાવે છતે શ્રી ભદ્રબાહુ સૂરિએ બિલાડીના મુખથી બાળકનું મૃત્યુ થશે અને તેનું આયુષ્ય સાત જ દિવસનું છે એ પ્રમાણે જણાવ્યું અને તે તે પ્રમાણે જ થયું.
તપસ્વીઓ– છ હજાર વર્ષ સુધી છઢના પારણે છઠ્ઠ કરનારા વિષ્ણુકુમાર, શુદ્ધ ભિક્ષા ન મળવાથી છ મહિના સુધી તપ કરનારા ઢંઢણકુમાર, સાઇઠ હજાર વર્ષ સુધી આયંબિલ કરનાર સુંદરી, એક વર્ષ સુધી કાયોત્સર્ગમાં રહેનારા બાહુબલી, વિષમ અભિગ્રહ લેનારા શ્રી ક્ષપકઋષિ, શ્રી કૃષ્ણઋષિ, સોળ વર્ષ સુધી આયંબિલ કરનારા શ્રી જગચંદ્ર સૂરિ વગેરે તપસ્વીઓ છે.
વિદ્યાવંત– શ્રી આર્યખપુટાચાર્ય, પરકાયામાં પ્રવેશ કરવાની વિદ્યાવાળા શ્રી જીવદેવ સૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે વિદ્યાવંત મહાપુરુષો છે. તેમાં આર્ય ખપુટાચાર્યનું દૃષ્ટાંત આ પ્રમાણે છે
શ્રી આર્યખપુટાચાર્યનો પ્રબંધ
ભરુચમાં બૌદ્ધનો ભક્ત બલમિત્ર નામનો રાજા હતો. ત્યાં મદથી ઉદ્ધત થયેલા, જૈન લોકોની અવજ્ઞા કરનારા બૌદ્ધોને વિદ્યાસિદ્ધ શ્રી આર્યખપુટાચાર્યના ભાણેજ શિષ્ય ભુવનેં વાદમાં જીત્યા. અસાધારણ તેના મહિમાને સાંભળીને કાન મરડવાથી જાણે પીડાયેલા ન