________________
આચારપ્રદીપ
કોકાશને કાકજંઘ રાજા પાસે લઇ ગયા અને શ્રેષ્ઠ રાજાથી પૂછાયેલા તેણે શાલિકણને હરણ કરવા સુધીના પોતાના સઘળાય વૃત્તાંતને સારી રીતે સ્પષ્ટ જ જણાવ્યું. કારણ કે, सत्यं मित्रैः प्रियं स्त्रीभि - रलीकमधुरं द्विषा ।
अनुकूलं च सत्यं च वक्तव्यं स्वामिना सह ॥ १ ॥
૧૦૬
મિત્રોની સાથે સાચું બોલવું જોઇએ, સ્ત્રીઓની સાથે પ્રિય બોલવું જોઇએ, શત્રુની સાથે ખોટુ પણ મધુર બોલવું જોઇએ અને સ્વામીની સાથે અનુકૂળ અને સત્ય બોલવું જોઇએ.
ત્યાર પછી સમ્યક્ સ્વરૂપ કહેવાથી અને તેવા પ્રકારના લાકડાના કબૂતર બનાવવાની કળાના અતિશયને જોવાથી તુષ્ટમનવાળા રાજાએ ફરી આદરપૂર્વક પ્રશ્ન કર્યો કે, અનુપમ કલાના વિલાસ ! હે કોકાશ ! અતિશય ચમત્કારના સ્થાન એવા કયા કયા વિજ્ઞાનને તું જાણે છે ? તેણે પણ ઉત્તર આપ્યો કે, હે દેવ ! આપની કૃપાથી તિરસ્કાર કરેલો છે બીજા શિલ્પીના ગર્વને જેણે એવું થકારનું સર્વ વિજ્ઞાન હું જાણું છું. હે સ્વામિ! ઇચ્છા મુજબ ગતિ કરનારા, મનોહારિ લાકડાના મયુર, ગુડ, પોપટ કે કલહંસ વગેરે અથવા તો બીજા પણ તેવા પ્રકારના પક્ષીને બનાવું કે શ્રેષ્ઠરથની જેમ જેના ઉપર ચઢીને પૃથ્વી ઉપર ચાલતા હોઇએ તેમ આકાશના આંગણામાં પણ કૉંલિકા આદિના પ્રયોગથી ઇચ્છા મુજબ જવાય અને ઇચ્છા મુજબ પાછું અવાય. અથવા તો યથાઇચ્છિત મહેલ, ઘ૨ વગેરે બધુ ય વિશ્વકર્માની જેમ કરું. તે સાંભળવા યોગ્ય સાંભળીને કુતૂહલપ્રિય એવા રાજાએ તેને આ પ્રમાણે વચન કહ્યું: જો આ પ્રમાણે છે તો આકાશમાર્ગમાં ગમનઆગમન કરવાની કલામાં ચતુર એવા એક ગરુડને બનાવ કે જેથી સઘળા ય ભૂમંડલને ઇચ્છા મુજબ જોઇએ. તેથી વૈજ્ઞાનિકોમાં મુકુટ સમાન એવા તેણે તરત’ જ વાસુદેવના ગરુડ જેવું વિશિષ્ટ લાકડાનું ઘણું મોટું ગરુડ બનાવ્યું. તેના દર્શનમાત્રથી જ રાજા અતિશય તોષ પામ્યો અને લોકોની નજરમાં સઘળું ય આવે તે રીતે બહુમાનપૂર્વક રાજાએ તેને અતિશય વિસ્મય પમાડે તેવું ઘણું ધન, સુવર્ણ, રત્ન આદિ અને નિવાસ આદિ આપ્યું. તેથી પોતાની વિજ્ઞાનકલાથી તે જ કાળે મેળવેલી છે સકલ આવાસ આદિ નવી સામગ્રી જેણે એવો, રાજાને સન્માન પાત્ર હોવાથી ફેલાયો છે પ્રસિદ્ધિનો પ્રકાશ જેનો એવો કોકાશ પોતાના કુટુંબ સહિત સુખપૂર્વક ત્યાં રહ્યો.
અહો ! વાંચ્છિત કાર્યને સાધનારું વિજ્ઞાન. કહ્યું છે કે–
लवणसमो नत्थि रसो, विण्णाणसमो अ बंधवो नत्थि । धम्मसम्म नत्थि निही कोवसमो वइरिओ नत्थि ॥ १ ॥