________________
આચારપ્રદીપ
હવે મારે આપના ચરણ શરણ છે. હું જ્યાં સુધી ચાલી શકું છું ત્યાં સુધી તમને કાગડાના રહેઠાણે લઈ જઈશ અને તે સર્વે કાગડાઓનો નાશ કરાવીશ. ઘૂવડનો રાજા અરિમર્દન તેને પોતાનો પક્ષપાતી જાણી પોતાની ગુફારૂપ કિલ્લામાં લઈ ગયો અને તે કાગડાએ ગુફાના દ્વારે અડો જમાવ્યો. પછી ગુફાને બાળવા માટે માળો બાંધવાના બહાનાથી કિલ્લાના બારણા આગળ રોજ એક એક લાકડાંનો કટકો લાવી મૂકવા લાગ્યો. પરંતુ તે મૂર્ખ ઘૂવડો જાણતા નથી કે, આ કાગડો અમને બાળી નાંખવા માટે પોતાનો માળો વધારે છે. આ પ્રમાણે તેણે ઘણાં લાકડાઓ એકઠા કર્યા. એક દિવસ સૂર્યોદય થયો અને સઘળાય ઘૂવડો આંધળા થઈ ગયા એટલે તે સ્થિરજીવી નામના કાગડાએ ઋષ્યમૂક નામના પર્વત ઉપર જઈને મેઘવર્ણને કહ્યું કે, હે મહારાજ ! મેં શત્રુની ગુફાને બાળી શકાય તેવી કરી રાખી છે. માટે હવે તમે સર્વ પરિવાર સાથે વનમાં બળતાં લાકડાનો એક એક કટકો ચાંચમાં લઈને તે ગુફાના બારણાં આગળ જ્યાં મારો માળો છે ત્યાં નાખો કે જેથી આપણાં સર્વ શત્રુઓનો નાશ થાય. મેઘકર્ણે પણ પરિવાર સહિત તે પ્રમાણે કર્યું. ગુફાનું બારણું સળગી ઊઠયું. ગુફાનું બારણું સળગતા ઘૂવડો બહાર નીકળી શકયા નહીં પણ ગુફામાં રહ્યાં રહ્યાં કુંભિપાકના દુઃખની જેમ દુ:ખને ભોગવી મરણ પામ્યા. આ રીતે શત્રુઓનો સંહાર કરીને મેઘકર્ણ પાછો તે વડના ઝાડ ઉપર રહેલા કિલ્લામાં સુખે કરી રહેવા લાગ્યો. શત્રુનો વિશ્વાસ કર્યો તો ઘુવડોની એવી પરિસ્થિતિ થઈ.)
૧૨૮
તેથી ગુપ્ત સ્થિતિ=ગુપ્ત આચરણવાળો હું નગરની અંદર જઇને સુથારના સાધનોથી નવી ચાવી બનાવીને જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી દેવી સહિત આપે વૃક્ષ અને વેલડીની અંદર તે રીતે છૂપાઇને રહેવું કે જેથી કોઇ પણ ન જાણે. ઇત્યાદિ દઢ ઉક્તિપૂર્વક આ નગરમાં મને કોઇ ઓળખશે નહીં એ પ્રમાણે નિઃશંક પણે જ નગરની અંદર કોઇક સુથારના ઘરની નજીકની બહારની ઝૂંપડીમાં જઇને રથનું ચક્ર ઘડવા માટે તૈયાર થયેલા તે સુથાર પાસેથી ચાવી બનાવવાના કેટલાક વિશિષ્ટ ઉપકરણો માગ્યા. તે પણ જેટલામાં તે ઉપકરણો લાવવા માટે પોતાના ઘરની અંદર ગયો તેટલામાં ઓજારો ઘડવાના વિજ્ઞાનમાં જ રસવાળો હોવાના કારણે સુથારે બનાવવા ઇચ્છેલા તે ચક્રને કોકાશે તે જ ક્ષણે બનાવી દીધું. તે ચક્રને કેવું બનાવ્યું ? જે સ્વયં ઊભું રહે છે, હાથમાંથી છોડેલું દિવ્યચક્રની જેમ સ્વયં જ ભમતું ભમતું આગળ દીવાલ આદિ સુધી જાય છે અને દીવાલ આદિથી અથડાયેલું ફરી તે જ પ્રમાણે પાછું આવે છે. અહાહા ! કોઇ પણ કલાકૌશલરસ અસાધારણ છે કે જેને વશ થયેલો જીવ પોતાના હિતાહિત કાર્યને પણ વિચારતો નથી.