________________
૧૨૪
આચારપ્રદીપ
પ્રમાણે કહે છતે “હું હું એમ હુંકારો કરવો આદિ દ્વારા અત્યંત અરુચિને બતાવતાં રાજાએ તેને કહ્યું કે, આ હા ! પોતાના આત્માને અનુચિત, ન બોલવા જેવું અને ન સાંભળવા જેવું આ તું શું બોલ્યો? વિશુદ્ધ ધર્મના મર્મને સ્પર્શનારા=જાણનારા તારા જેવા પણ જો આ પ્રમાણે ધર્મવિધિનો નાશ કરનારું વચન બોલે છે તો ખરેખર ખેદની વાત છે કે આશ્રય વિનાની સર્વે પણ ધર્મ વ્યવસ્થા નાશ પામી. એવો કોણ મૂઢાત્મા હોય કે જે દરેક ભવમાં સુલભ એવા આ લોકના જીવિતનાં સુખ માટે અનંત ભવોમાં પણ દુર્લભ, પરલોકના ભાથા સમાન પોતાએ સ્વીકારેલા ધર્મને કોઈપણ રીતે મારવાડમાં પ્રાપ્ત થયેલા કલ્પવૃક્ષની જેમ મૂળથી સહિત ઉખેડી નાખે ? કદાચ અનાભોગ અને વ્યાકુળતા આદિના કારણે અજાણતા મોટો પણ નિયમભંગ થઈ જાય તો પણ અંગીકાર કરેલા વ્રતનો મલિનતારૂપ અતિચાર જ લાગે છે. જ્યારે જાણી જોઇને નાનો પણ નિયમભંગ કરવામાં આવે તો સ્વીકારેલા વ્રતનો ભંગ જ થાય છે. અને અતિચારથી ખંડિત થયેલું વ્રત કાચા ઘડાની જેમ સુખેથી સાંધવું પણ શક્ય છે. પરંતુ ભાંગેલું તે વ્રત પાકા ઘડાની જેમ કોનાથી કેવી રીતે સારી બુદ્ધિથી પણ સાંધી શકાય?
વળી બીજું– વિદ્વાનોને તો વ્રતના અતિચારનું કારણ એવું પ્રમાદાચરણ જ અત્યંત અનુચિત છે. એમાં વળી જાણી જોઇને નિયમનો અતિક્રમ કરવો એ તો તેના ઉપર શિખર ચઢાવવા જેવું છે. સ્વીકારેલાનો નિર્વાહ કરવો એ જ મહાપુરુષોને ઉચિત છે. તેથી જે થવાનું હોય તે થાઓ, પરંતુ પ્રાણાન્ત પણ આગળ એક ડગલું માત્ર જલ હું સર્વથા જ અનુમતિ આપતો નથી.
પ્રતિપન્નચે નિર્વાણો, મહતfમદ નક્ષપામ્ |
પ્રતિપન્નેfપ શૈથિલ્યમિતરેષાં સુ નક્ષUK | ૨ | ”
સ્વીકારેલાનો નિર્વાહ કરવો એ મહાપુરુષોનું લક્ષણ છે. અને સ્વીકારેલામાં શિથિલતા કરવી એ હલકા પુરુષોનું લક્ષણ છે.
जलधूलिधरित्र्यादिरेखावदितरेषाम् ।
परं पाषाणरेखेव, प्रतिपन्नं महात्मनाम् ॥ १ ॥
બીજાઓનો (=હલકા પુરુષોનો) વ્રત આદિ સ્વીકાર જલ, ધૂળ, પૃથ્વી આદિની રેખા જેવો છે. જળમાં કરેલી રેખા તરત નાશ પામે છે, ધૂળમાં કરેલી રેખા પવન આદિથી થોડા સમયમાં નાશ પામે છે, પૃથ્વીમાં કરેલી રેખા વર્ષાદ આદિ જળથી થોડા વધારે. સમય પછી નાશ પામે છે. તેથી જેમ હલકા પુરુષો જે વ્રત આદિનો સ્વીકાર કરે છે તે