________________
૧૨૦
આચારપ્રદીપ
છે. શુદ્ધ વાંસમાં લાગેલા બીજા તુંબડાઓ (તંબુરા બની) સરસ મધુર ગાન કરે છે. સારા દોરડાથી ગૂંથાયેલા કેટલાક તુંબડાઓ દુઃખે તરી શકાય એવા (સમુદ્ર આદિને) તારે છે. તે તુંબડાઓમાં જે તુંબડાઓ બળેલા હૃદયવાળા છે, અર્થાત્ જેનો અંદરનો ભાગ બળી ગયેલો છે તે તુંબડાઓ રક્તને પીએ છે. અર્થાત્ રક્ત (=મદિરા) ભરવાના ઉપયોગમાં આવે છે.
આ પ્રમાણે તે રાજાએ કોકાશની સહાયથી અકસ્માતુ શત્રુ ઉપર ગમન કરી હુમલો કરી તેને બાંધી લાવવો વગેરેથી મહાબળવાન એવા પણ રાજાઓને ગોવાળીયાઓની જેમ લીલા માત્રથી જ પોતાને વશ કરીને પૃથ્વીને એક છત્રી કરી.
सामान्यस्याप्यसामान्यं, सख्यं सख्युः किमप्यहो । . जिग्ये प्लवगसाहाय्याद्यद्वा रामोऽपि रावणम् ॥१॥
અહો ! સામાન્ય પણ મિત્રની મિત્રતા કંઈ પણ અસામાન્ય હોય છે. અથવા તો રામે પણ વાનરોની સહાયથી રાવણને જીત્યો.
કોઈ દિવસ ઉદ્યાનની અંદર સમવસરેલા, પાંચસો શ્રેષ્ઠ સાધુઓથી પરિવરેલા, અસાધારણ મહિમાથી હિમવત્ ગિરીન્દ્ર જેવા, શ્રી ધર્માનંદ સૂરીન્દ્રને વંદન કરવા માટે ઉત્કંઠાવાળો રાજા અતિ હર્ષવાળા રથકારની સાથે અતિ મોટા આડંબરથી ગયો. જઈને અને ભક્તિપૂર્વક ગુરુને નમીને શિષ્ટબુદ્ધિવાળો પરિવાર સહિત યથાસ્થાને બેઠો. ગુરુએ પણ ભવ્યજીવના કાનમાં અમૃતરસના પ્રવેશ સમાન શ્રી ધર્મનો ઉપદેશ શરૂ કર્યો. તે આ પ્રમાણે
इच्छा सर्वत्र सर्वेषां, सुखे तत्पुनरैहिकम् ।
आमुष्मिकं च द्वेधाऽपि, धर्मात्सेव्यः स एव तत् ॥ १ ॥ સઘળીય જગ્યાએ પણ સઘળાય લોકોની ઇચ્છા સુખમાં છે. આ લોક અને પરલોક એમ બંને પ્રકારનું પણ તે સુખ ધર્મથી પ્રાપ્ત થાય છે. તેથી તે ધર્મ જ સેવવા યોગ્ય છે.
विसंवदन्त्यपि फले, परे धर्माः पराब्दवत् ।
जैनधर्मः पुनर्नैव, पुष्करावर्त्तवत् क्वचित् ॥ २ ॥ બીજા મેઘોની જેમ બીજા ધર્મો ફળ વિષે વિસંવાદ કરે છે, અર્થાત્ સામાન્ય મેળો વરસે કે ન પણ વરસે એવી રીતે બીજા ધર્મો ફળે કે ન પણ ફળે. પણ જૈન ધર્મ પુષ્પરાવર્ત મેઘની જેમ ક્યારે પણ ફળ વિષે વિસંવાદ કરતો નથી, અર્થાતુ અવશ્ય ફળે છે.