________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
થાય. જ્યાં મીઠું વગેરે ઉત્પન્ન થતું હોય તેને આકર કહેવાય. રાજધાનીને નગર કહેવાય, અથવા જ્યાં કર ન લેવાતો હોય તે નગર કહેવાય. જલમાર્ગ અને સ્થળમાર્ગ એ બંને માર્ગમાંથી એક માર્ગથી યુક્ત હોય તે પત્તન કહેવાય. જલમાર્ગ અને સ્થળમાર્ગ એ બંને માર્ગથી યુક્ત હોય તે દ્રોણમુખ કહેવાય. અઢી ગાઉમાં બીજું કોઇ ગામ ન હોય તેવા ગામને મટુંબ કહેવાય. સૈન્યના નિવાસને કંધાવાર કહેવાય અને = શબ્દથી દુકાનનું ગ્રહણ કરવું.
કેટલાક ગામ વગેરેની બીજી,રીતે પણ વ્યાખ્યા કરે છે. જેથી કહ્યું છે કે– ग्रामो वृत्यावृतः स्यान्नगरमुरुचतुर्गोपुरोद्भासिशोभं,
खेट नद्याद्रिवेष्ट्यं परिवृत्तमभितः कर्बटं पर्वतेन । 'ग्रामैयुक्तं मडम्बं दलितदशशतैः पत्तनं रत्नयोनि
द्रोणाख्यं सिन्धुवेलावलयितमथ सम्बाधनं चाद्रिशृङ्गे ॥ १ ॥
૧૧૫
વાડથી વીંટળાયેલુ હોય તે ગામ કહેવાય. મોટા ચાર દરવાજાથી પ્રગટ થયેલી શોભાવાળું હોય તે નગર કહેવાય. નદી અને પર્વતથી વીંટળાયેલું હોય તે ખેટ કહેવાય. ચારે બાજુ પર્વતથી વીંટળાયેલું હોય તે કર્બટ કહેવાય. વિકસિત હજાર ગામથી યુક્ત હોય તે મડંબ કહેવાય. રત્નની ઉત્પત્તિ સ્થાનને પત્તન કહેવાય, સમુદ્રના કિનારાથી વીંટળાયેલું હોય તે દ્રોણમુખ કહેવાય, પર્વતના શિખર ઉપર વસેલું હોય તે સંબાધન કહેવાય.
ગાથા-૩ માં ગળિતસ્ય એટલે સોનામહોર, સોપારી આદિ રૂપ ગણિત, પીત્તાનાં એટલે સ્વરને સારું કરવું આદિ પ્રબંધો, માનં એટલે સેતિકા વગેરે માન, જે સેતિકા સંબંધી હોય તે પણ માન કહેવાય, ધાન્ય વગેરે મેય છે એવો કહેવાનો ભાવ છે. ન્માન એટલે તુલા, કર્ષ વગેરે. વીજ્ઞાતિનાં એટલે શાલિ વગેરે બીજો. નિષ્પત્તિ એટલે દેશ-કાલને ઉચિત રૂપે ઉત્પત્તિ.
ચોથી વગેરે ચાર ગાથાઓ સરળ અર્થવાળી છે.
ગાથા-૮માં સર્વમહીનાં એટલે વસ્ત્ર વગેરેમાં રહેલા સર્વે વિશેષો. કાળાં એટલે મંજિષ્ઠ-કુસુંભ આદિ. ધાતુનાં એટલે લોઢું વગેરે.
ગાથા-૯માં જ્ઞાતિ ત્રયો વંશા: એટલે તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ-વાસુદેવ સંબંધી વંશો. આ વંશોમાં જે થશે અને જે થયા અને ઉપલક્ષણથી વર્તમાનમાં જે વિદ્યમાન હોય છે તે. શિલ્પશતં એટલે ઘર, લોઢું, ચિત્ર, વસ્ત્ર અને નાપિત આ પાંચ શિલ્પના વીસ-વીસ ભેદ હોવાથી સો. વળિ એટલે ખેતી, વેપાર વગેરે. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ.