________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪પ્રસ્તાવના
થાય છે. ત્યારબાદ જીવ સંસારનો ક્ષય કરીને મોક્ષમાં જાય છે તેનું અનેક દૃષ્ટાંતથી ભાવન કરેલ છે. ત્યારબાદ મોક્ષમાં સુખ કેવું છે? તેનો બોધ કરાવવા અર્થે પુણ્યકર્મના વિપાકથી જીવને સુખ થાય છે, મનોજ્ઞ એવા ઇન્દ્રિયોના વિષયથી જીવને સુખની પ્રાપ્તિ થાય છે અને કર્મ તથા ક્લેશના ક્ષયથી મોક્ષમાં અનુત્તમ સુખ જીવને પ્રાપ્ત થાય છે=શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય છે, તેમ બતાવીને સંસારી જીવોને થનારું સુખ અને મોક્ષનું સુખ કઈ રીતે માત્રાના ભેદથી અત્યંત વિષમ છે? તેનો બોધ કરાવેલ છે.
છદ્મસ્થપણાના કારણે જિનેશ્વર પરમાત્માની વાણીથી વિપરીત કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૬૯, આસો સુદ-૧૦, તા. ૧૪-૧૦-૨૦૧૩, સોમવાર. ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન: ૦૭૯-૩ર૪૪૭૦૧૪