________________
(૩) નિગ્રંથ ગુરુ ગીત
૧
૯
રત્નત્રયીના નાશકારક આત્મઘાતી દોષનો, ઉપાય સદ્ગુરુ દાખવે, દેખાડ મારગ મોક્ષનો; કંપે હૃદય ઉપદેશવેગે, નીર પણ નયને ઝરે,
સંસારથી ઉદ્ધારનારી શુદ્ધતા હૃદયે ઘરે. ૨૦ વળી પ્રકર્તા ગુણના ઘારક શ્રી ગુરુ કેમ પ્રવર્તે છે તે નીચેની ગાથાઓથી જણાવે છે :
અર્થ:- સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને નાશ કરનાર એવા આત્મઘાતી દોષોને દૂર કરવાનો ઉપાય બતાવી શ્રી સદ્ગુરુ શિષ્યોને મોક્ષનો સાચો માર્ગ દેખાડે છે. શ્રી ગુરુના ઉપદેશના વેગ વડે શિષ્યનું હૃદય કંપાયમાન થાય છે અને પોતાના દોષ જણાવતાં આંખમાંથી આંસુ પણ ઝરે છે. એમ શ્રી ગુરુના ઉપદેશથી શિષ્ય, સંસારથી ઉદ્ધારનારી શુદ્ધતાને પશ્ચાતાપ વડે હૃદયમાં ઘારણ કરે છે.૨૦ના
શું શિશુ સમ સમજાવતા સ્નેહે ગુરું અપરાથીને! નિજ દોષ દર્શાવી, સુખે સાથે સુશિષ્યો શુદ્ધિને; માયાથી કોઈ છુપાવતો નિજદોષ જો ગુરુ આગળ,
તો સિંહ સમ ગુરુ ગર્જતા કે દોષ ઑકે તે પળે. ૨૧ અર્થ - બાળકને પ્રેમથી સમજાવે તેમ શ્રી ગુરુ અપરાથી એવા પોતાના શિષ્યને સ્નેહપૂર્વક સમજાવે છે. જેથી સુશિષ્યો પોતાના દોષ શ્રી ગુરુને જણાવી સુખે આત્મશુદ્ધિને સાથે છે.
પણ માયાથી કોઈ શિષ્ય ગુરુ આગળ જો પોતાના દોષને છુપાવે તો સિંહ સમાન શ્રી ગુરુ ગર્જના કરે કે જેથી શિષ્ય તે જ પળે પોતાના દોષને ઓકી કાઢે છે. રા.
ઘમકી ગણે ના કોઈ તો ગુરુ આમ ઘડૂકીને કહેઃ “દેખાડતો નહિ મુખ તારું મલિન, માયા જો ગ્રહે; વ્રત, નિયમ, સંયમ સર્વને માયા છૂપી રીતે દહે;
જે આત્મ-ઉવળતા ચહે તે ર્જીવ જ ગુરુશરણું ગ્રહે.” ૨૨ અર્થ - કોઈ શિષ્ય એવો હોય કે જે શ્રી ગુરુની ઘમકીને પણ ગણે નહીં. તો શ્રી ગુરુ ઘડૂકીને તેને આમ કહે કે હજુ દોષ કહેવામાં માયા રાખે છે માટે અહીંથી ચાલ્યો જા. તારું દોષોથી મલિન એવું મુખ મને દેખાડતો નહીં. કેમકે વ્રત, નિયમ કે સંયમ એ સર્વને માયા છૂપી રીતે બાળી નાખે છે. માટે તેવી માયાને ઘરી રાખનાર શિષ્યને ગુરુ પાસે રાખે નહીં. પણ જે આત્માની ઉજવળતાને ઇચ્છે તે જીવ જ સદ્ગુરુના શરણને ગ્રહણ કરી શકે છે. આમ શિષ્યના દોષોને કઢાવી નિર્મળ આચાર પળાવવાં, એ પ્રકર્તા નામનો શ્રી ગુરુનો એક ગુણ છે. રજા
ગુણગાન ગુણનિધિ સદ્ગુરુંનાં સાંભળી શ્રદ્ધા કરે, નજરે ન દીઠા હોય તોયે પ્રીતિ સુશિષ્યો ઘરે. વળી શિષ્યજનના દોષ હરવા ઉર ગુરુ નિષ્ફર કરે,
માતા દયાળું બળ કરી કડવી દવા શિશુમુખ ઘરે. ૨૩ અર્થ - ગુણનિધિ એટલે ગુણના ભંડાર સમા પરમકૃપાળુ સગુરુ ભગવંતના ગુણગાન પ.પૂ.પ્રભુશ્રીજી પાસેથી સાંભળીને શિષ્યો પરમકૃપાળુદેવની શ્રદ્ધા કરે છે. ભલે પરમકૃપાળુ સગુરુદેવને