________________
( ૩ ) કહેવા લાગી. હે રાજા અને પુત્રભિક્ષા આપ, પુત્ર વિના બધુ શુન્ય છે. ધન, ધાન્ય તથા પુસ્તકો વગેરેને પુત્ર વિના શુ કરાય? તે સાંભળીને વસુ કહેવા લાગ્યો કે હે માતાજી એ પર્વત મને પાલન તથા પુજા કરવા યોગ્ય છે. કેમકે ગુરૂપુત્રની પાસે ગુરૂની પેઠે વરતવું એવી ભ્રાંતિ છે તેને કોણે પીડા દીધી છેઃ કોને મૃત્યુ આવ્યો છે? હે જનની મારા ભાઈને કોણ મારનાર છે? ને તેને શું દુઃખ છે ? તે કહે છે ત્યારે તેણે નારદનું આવવું, પ્રસંગે તેનું ભાષણ થવું, અજ શબ્દનો અર્થ વિશે વાદ, તે વિશે બેઉએ પણનુ કરવું, તથા તે બાબત રાજાનું સાક્ષી રહેવું. ઈત્યાદિક સર્વ વૃતાંત કહી સંભળાવ્યો. પછી દીનતાથી કહેવા લાગી કે હે રાજા અજ શબ્દનો અર્થ તને બકરો કહેવિ જોઈએ, તે વિના મારા પુત્રને મહા દુઃખ થનાર છે. કહ્યું છે કે “જે મોટા પુરૂષ છે તે પરોપકાર અર્થે પોતાના પ્રાણ પણ દે છે તે વાણી તે શા હિસાબમાં છે?” ત્યારે વસુ રાજા કહેવા લાગ્યા, હે માતાજી હું ખોટું કેમ બોલું? કહ્યું છે કે “પ્રાણ જાય તો પણ સત્યવકતા પુરૂષના મુખમાંથી અસત્ય બોલાતું નથી” વળી કહ્યું છે કે હિરેક પુરૂષે કદી પણ જુઠું બોલવું નહી” ઈત્યાદિક વાક્યોને તથા ધર્મને બાધિત એવા એ કામ સિવાય બીજુ જે કહેશે તે હું કબુલ કરીશ. હે માતુશ્રી ગુરૂની-વાણું અન્યથા કરયાથી માં હા પાપ લાગે છે, તે પછી ખોટી સાક્ષી પુરયાથી જે થાય તેનું શું પુછવુ. તથાપિ ગુરૂપુત્રનુ વાકય સાચું કર. એવુ તેનુ કે ભરેલ બોલવું સાંભળીને તેણે કબુલ કર્યું. પછી તે ક્ષીરદબકની સ્ત્રી મનમાં રાજી થઈને પિતાના ઘેર ગઈ.
બીજે દિવસે હુ તથા પર્વત બેઉ મળીને વસુ રાજાની સભામાં ગયા. ત્યાં મોટા ગુણશાલી, હસ જેમ પોતાની ચાંચ વડે ખીર તથા નીરને જુદાં કરે છે, તેમ પોતાની બુદ્ધિ વડે સારને અસારનું વિવેચન કરવા વાળા મહા સભ્ય પુરૂષે બેઠેલા હતા. અને જેમ નક્ષત્ર ગણમાં ચંદ્રમા શોભે, તેમ અધર રહેલી સ્ફટિક શિલા ઉપર બેઠેલો રાજા વસુ ભતો હતો. તેવા પ્રસગે અતિ ઉમંગે બેઉ સગે જઈને તે સભામાં અમારી સર્વ વાત સંભળાવીને કહ્યું કે, અમારા ગુરૂએ કહેલા અજ શબ્દના અર્થ વિશે અમારે વાદ થયો છે, તેનો ન્યાય કરાવવા સારૂ અમે અહીં આવ્યા છીએ. હે રાજા તુ સત્યવાદી છે, માટે બરાબર ઈનસાફ કરીશ એમ અમે પાકુ સ. મિજીએ છીએ. પૃથ્વી તથા આકાશની વચ્ચે જેમ સુર્યની સાક્ષી છે તેમ આ