________________
ધ્યાનદીપિકા
ચાલ્યું જાય કે આવી મળે તે પણ તેથી હર્ષશોક બિલકુલ ન થાય એવી સ્થિતિ મેળવ. જે પદાર્થો તારા નથી જે તું નથી તેના જવા-આવવાથી તને હર્ષ, શોક શા માટે થે જોઈએ? ન થવું જોઈએ અને તે જ તારું કર્તવ્ય છે. આ ભાવનાનો ઉદ્દેશ પણ તે જ છે કે પુગલ-જડપદાર્થથી વ્યાવૃત્ત થઈ આત્મસ્વરૂપ અનુભવવું અને દેહ અને આત્મા વચ્ચે ઐક્ય નથી, પરંતુ ભિન્નતા છે. ૨૫-૨૬.
અશુચિ ભાવના ૬ शुक्रादिबीजं निंद्यमनेकाशुचिसंभृतम् । मलिन निसर्गनिःसारं लज्जागारं त्विदं वपुः ॥२७॥ વર્યાદિ બીજવાળું, નિંદનીય, અનેક અશુચિથી ભરેલું, મલિન, સ્વભાવથી સાર વિનાનું અને લજજાના ગૃહ સમાન આ શરીર છે. ૨૭.
ભાવાર્થ:–આત્માથી શરીરને જુદું જાણ્યા છતાં પણ તેના ઉપર નેહ બન્યો રહે છે. પોતાના દેહ ઉપર કે સામાન્ય રીતે સર્વ દેહધારી જીના દેહ ઉપર મેહ-મમત્વ ન થાય એટલો જ આ અશુચિ ભાવના કહેવાને ઉદ્દેશ છે.
આ દેહનું મૂળ શું છે તે મનુષ્યથી ભાગ્યે જ અજાણ્યું હોય છે. શુક્ર (વીર્ય) અને શેણિત (સ્ત્રીનું રજ) આ બનેની મિલાવટથી આ દેહની ઉત્પત્તિ છે તે જ બીજ છે. જમીનમાં બીજ વાવ્યા પછી તેને વાયુ, અવિન, પાણી વિગેરેની મદદથી જમીનમાં જુદી જુદી જાતની જુદે જુદે વખતે રાસા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org