________________ [ 154 ] ધ્યાનદીપિકા તેમને દુઃખી થવાનું કારણ એ છે કે, નિયાણું કરી માગી લીધેલા ફળનું પરિણામ સુખરૂપ થતું નથી. એક ઈચ્છા બીજી ઈચછા ઉત્પન્ન કરે છે. બીજી પૂરી થઈ ન થઈ ત્યાં ત્રીજી ઈચ્છાઊઠે છે. જ્ઞાનદશા જાગૃત થયેલી ન હોવાથી આ ઈચ્છાને નાશ બીજા કોઈ ઉપાયથી થતું નથી, કેમ કે ઈચ્છાઓનાં બીજ અજ્ઞાન દશામાં રહેલા હોય છે. ઈચ્છાઓ પણ પૂર્ણ થતાં હર્ષ થાય છે. પૂર્ણ થવામાં અનેક આર કરવા પડે છે. તેમાં કોઈ અડચણ કરે, વિદન કરે તે દ્વેષ થાય છે. ઈચ્છા પૂરી ન થાય, તો ખેદ થાય છે. આ રાગવૈષની પરિણતિ નવીન ક ઉપાર્જન કરાવે છે અને પરિણામે જન્મમરણનું ગાડું વગર અટકયે ચાલ્યા જ કરે છે. અહીં વિચારદશાની પૂર્ણ જરૂર છે. જે બીજ સારી જમીનમાં વાવ્યું છે, તે ફળ થશે જ. તેને માટે દીનતા કરવી તે કેવળ કલેશને જ માટે છે. તેમ જ જે જીવે સત્કર્મ કર્યા છે, તે તેનાં સારાં ફળ મળવાના જ; તે તેને માટે આવી દીનતાવાળી અને પરિણામે દુઃખરૂપ નિયાણાની માગણી કરવી તે નકામી છે. આત્મદષ્ટિ થયા સિવાય ઈચ્છાના બીજને નાશ થતો નથી. અહીં એ શંકા થશે કે મહેનત વિના મળતું નથી, મહેનત કરી ફળની માગણી કરતાં પરિણામ આવું બતાવો છે, ત્યારે ઈચ્છાઓને તૃપ્ત કેમ કરવી? ઉત્તર એ છે કે ઉત્તમ વિચારબળ વિના-જ્ઞાનશક્તિ પ્રગટ થયા સિવાય-ઈચ્છાઓનો નાશ થઈ શકતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org