________________
[ ૨૦૦ ]
માનદીપિકા હેય કે રાત્રિ હોય તે પણ કેઈ ને નાશ ન કરે, ભાવથી-રાગના કારણે કે દ્વેષના કારણે કોઈપણ એની હિંસા ન કરવી.
કષાયના યોગથી (રાગદ્વેષના રોગથી) કષાયરૂપે પરિણમન થયેલા મન, વચન, કાયાના વેગથી પોતાના કે પરના દ્રવ્ય તથા ભાવપ્રાણને ઘાત કરે તે હિંસા છે.
નિશ્ચય અહિંસા રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ, લોભ, ભય, હાસ્ય, પ્રમાદ, આદિ ભાવેનું પ્રગટ ન થવું તે અહિંસા છે. રાગાદિ ભાવની ઉત્પત્તિ થવી તે હિંસા છે.
રાગાદિ વિના કદાચ પ્રાણનો નાશ થાય તે પણ હિંસા લાગતી નથી. રાગાદિભાવને વશ થઈ, પ્રમાદથી વર્તન કરનારને જીવને ઘાત થાય કે ન થાય. તે પણ નિશ્ચય હિંસા લાગે છે, કેમ કે આત્મા કષાય ભાવવાળે થઈ પ્રથમ પિતાના આત્માને હણે છે (કર્મથી આવરિત કરે છે). પછી બીજા જીવોની હિંસા થાઓ કે ન થાઓ પણ આત્મઘાત તે અવશ્ય થાય છે. માટે આત્મપ્રદેશ ઉપર કર્મ રજ લાગવા ન દેવી, તેવા પરિણામ થવા ન દેવા, તે નિશ્ચયથી અહિંસા છે.
વ્યવહારથી બીજું મહાવ્રત કોઈ પણ પ્રકારનું અસત્ય જૂઠું ન બોલવું, પણ પ્રિય હિતકારી સત્ય વચન બોલવું.
કેધથી, લેભથી, ભયથી અને હાસ્ય કરવારૂપ કારણથી એમ અસત્ય ચાર પ્રકારે બોલાય છે, તેને ત્યાગ કરવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org