________________
[ ર૮૦ ]
ધ્યાનદીપિકા હઠવું. ૪ અને લોકસંસ્થાન-સેકસ્થિતિને વિચાર કરે. એમ ધર્મધ્યાન જુદી જુદી પંક્તિની વિચારણના-નિશ્ચયના ભેદને લઈને ચાર પ્રકારે વર્ણવવામાં આવ્યું છે. બાકી સામાન્ય વિચારણાની અપેક્ષાએ તે તેના ભેદ થઈ શકતા નથી. તે ધર્મધ્યાનના ભેદે અનુક્રમે બતાવવામાં આવે છે.
આજ્ઞાવિચય ધમ ધ્યાન, स्वसिद्धांतप्रसिद्धं यत् वस्तुतत्त्वं विचार्यते । सर्वज्ञानुसारेण तदाज्ञाविचयो मतः ॥ १२१ ॥
જૈન સિદ્ધાંતમાં પ્રસિદ્ધ જે વસ્તુતત્ત્વ છે તેને સર્વજ્ઞની આજ્ઞાનુસાર વિચાર કરે તે આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવાય છે.
ભાવાર્થ–સર્વજ્ઞની આજ્ઞા એટલે સર્વને નિશ્ચયયથાતથ્ય, જેમ છે તેમ તે વસ્તુના સ્વરૂપને વિચાર કર. એક જ્ઞાનીને નિશ્ચય તે સર્વ જ્ઞાનીઓનો નિશ્ચય છે અને સર્વ જ્ઞાનીઓને નિશ્ચય તે એક જ્ઞાનને નિશ્ચય છે, તેમાં જરા માત્ર ફેરફાર નથી. સર્વજ્ઞને નિશ્ચય એવો છે કે કઈ વસ્તુ આમ જ છે એમ એકાંતે તેને નિશ્ચય તમે કરી શકો જ નહિ, પરંતુ અપેક્ષાએ જ તે વસ્તુતત્વ સંબંધે તમે કહી શકે. આત્મા એકાંતે નિત્ય કે અનિત્ય ન જ કહેવાય પણ દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ તે અનિત્ય છે. વિભાવપર્યાયે લાગુ પડે ત્યાં સુધી તે આત્મા શુદ્ધ થઈ શકે નહિ. જુદા જુદા દેહ ધારણ કરવા, ભિન્ન ભિન્ન વસ્તુઓમાં ઉપગને તે તે આકારે પરિણાવ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org