Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 400
________________ [ ૩૬૪ ] ધ્યાનદીપિકા નહિ. કેમ કે આ આત્મા સિવાય બીજી કાઈ પણ વસ્તુ એવી નથી કે તેમાં આસક્તિ રાખવાથી તે અધનકર્તા ન થતી હોય. શુભ કાર્યમાં આસક્તિ રાખવાથી પુણ્યમ ધ થાય છે. અશુભ કાર્ય માં આસક્તિપૂર્વક પ્રવૃત્તિ કરવાથી પાપબધ થાય છે. પુણ્ય સુખ આપનાર હેાવાથી સાનાની ખેડી જેવુ છે, પાપ દુઃખ આપનાર હેાવાથી લેાઢાની ખેડી જેવું છે, સાના લેાઢામાં તફાવત ઘણા છે છતાં અંધન તરીકે તે અન્ને સરખું કામ કામ કરે છે. આસક્તિ છે ત્યાં અધ છે, આથી મનને એમ સમજાવવાનુ` છે કે હું મન! આત્મા સિવાય અન્ય વસ્તુનુ ધ્યાન-અન્ય વસ્તુના વિચાર। આસક્તિથી–( સ્વરૂપના અજ્ઞાનથી) ખંધનકર્તા થાય છે. માટે 'તઃકરણ તુ જાગૃત થા અને આ અભ્યાસમાં જ–આ ધ્યાનમાં જ લીન થા. તારા મનના મનત્વના તેમાં જ લય કરી દે. स्वबोधादपरं किचिन्न स्वांते क्रियते परम् । कुर्यात्कार्यवशात् किंचित् वाग्कायाभ्यामनादृतः || १७८|| આત્મજ્ઞાન વિના ખીજુ કાંઈ પણ અંતઃકરણમાં દાખલ કરવુ' નહિ, કાઈ કારણસર કાંઈ કરવુ પડે તેા વચન અને કાયા વડે કરવું અને તે પણ આસક્તિ વિના કરવુ, ભાવા—દેહાદિક સાધનના વ્યવહારરૂપ કાર્ય કરવાની કે તેવી જ પારમાર્થિક કાય કરવાની જરૂર પડે તે કેમ કરવું? તે માટે કહે છે કે આ ચાલુ કથન સાધના કરનાર નવીન અભ્યાસીને માટે છે. તેણે તે આત્મજ્ઞાન-આત્મધ્યાન For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436