Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 406
________________ [ ૩૭૦ ] ધ્યાનદીપિકા ઇઢિયે આદિની ક્રિયાને તું મન વિના કર. અર્થાત્, મનની આસક્તિ રાખ્યા વિના નિર્લેપ રહીને કર. आत्मन् सिद्धात्मलग्नोऽहं यदा स्यां मोस्तदा त्वया । न गन्तव्यमितीच्छामि गन्तव्यं चेत्तदैव वा ॥१८९॥ હે મન ! જ્યારે હું ધ્યાનાવસ્થામાં સિદ્ધાત્માની સાથે (આત્માના શુદ્ધ સ્વરૂપમાં) એકરસ થાઉં ત્યાં સુધી તે મારી પાસેથી જરા પણ દૂર ન જવું એમ હું ઈચ્છું છું. છતાં જે તારે બહાર જવું હોય તે જ્યારે હું આત્મામાં એકરસ થયે હોઉં ત્યારે તારે જવું. આશય એ છે કે આત્મસ્વરૂપમાં લીન થયા પછી બીજે સ્થળે મન જઈ શકતું નથી, એટલે તેનું જવું કે ન જવું અને સરખું છે. इति ते ध्यान समीपे याचे मे मा भवन्तु व्याधिरुजः । अन्ते मरणसमाधिः शुभगतिर्भवतु परलोके ॥१९०॥ હે ધ્યાન ! આ પ્રમાણે તારી પાસે યાચના કરું છું કે મને વ્યાધિ કે રોગ ન થાઓ, અને અંતે મરણ સમાધિ તથા પર લેકમાં સુખ પ્રાપ્ત થાઓ. કહેવાનો આશય એ છે કે દયાન કરવાવાળે તે સર્વ પ્રકારની વાસના-ઈચ્છા વિનાને જ હોય છે, પણ ધર્મધ્યાનનું ફળ એ થાય છે કે સર્વથા કમનો ક્ષયના થયે હેવાથી મેક્ષ થતું નથી, તથાપિ તે સાધકને વ્યાધિ કે રેગ થતું નથી, સમાધિપૂર્વક મરણ થાય છે, અને પર લેકમાં સારી ગતિ પ્રાપ્ત થાય છે અને ઇચ્છા થતાં સર્વ અનુકૂળ સંયેગો ધર્મધ્યાનથી મળી આવે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436