Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir

Previous | Next

Page 411
________________ ધ્યાનદીપિકા [ ૩૭૫] શુક્લધ્યાન-આલંબન દ્વાર–૧ ક્રોધ, માન, માયા, અને લોભના ત્યાગ કરવારૂપ ક્ષમા, નમ્રતા, સરલતા, અને સંતોષ આ ચાર શુક્લ ધ્યાનનાં આલંબનો છે. અપરાધીઓના અપરાધના બદલા તરીકે તેમના ઉપર ક્ષમા વરસાવતી, ચંદનને બાળવાથી બાળનારને ચંદન તરફથી સુવાસ-સુગંધ મળે છે, તેવી જ રીતે અપરાધીને પણ અપરાધના બદલામાં ઉપકાર કરે. આટલી પ્રબળ ક્ષમા લાવવી જોઈએ. સર્વ જીવોને સત્તાએ શુદ્ધસ્વરૂપ જેવાની ટેવ પાડવાથી આવી શુકલધ્યાનના આલંબનભૂત ક્ષમા આવી શકે છે. દુનિયાના સર્વ છે, વિચારવાનને કાંઈને કાંઈ બંધ આપે છે. આ દુનિયા એ બધ મેળવવા માટેની જીવંત પાઠશાલા છે, અથવા વિચારશક્તિ પ્રગટ થયેલા ને માટે તે એક જીવતા ગુરુની ગરજ સારે છે. દુનિયાને ગુરુ તુલ્ય માની પોતે શિષ્યરૂપે રહેવાથી, અને દરેક પ્રસંગે કુદરતમાં થતા ફેરફારો ઉપરથી શિક્ષણ લેવાની ટેવ પાડવાથી કુદરતના છૂપા ભેદમાંથી અખૂટ જ્ઞાનભંડાર મળી શકે છે. એક પણ એવો પદાર્થ નહિ હોય કે જે વિચારવાનને છૂપું શિક્ષણ આપતું ન હોય. સત્તામાં રહેલા શુદ્ધ સ્વરૂપને ઉદ્દેશીને સર્વ જેને પરમાત્માતુલ્ય માની, પિતામાં દાસભાવ રાખી, ગુણગ્રાહકતાનું આંતરવર્તન રાખવાથી અભિમાનની વૃત્તિનો સહેલાઈથી નાશ સાધી શકાય છે, આ સ્થળે એટલું યાદ રાખવાનું છે કે વ્યવહાર તે જે જાતના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436