________________
દયાનદીપિકા
[ ૩૮૧ ]
કક
=
દરેકની પ્રકૃતિ એકસરખી હોતી નથી. દરેકના રોગ એકસરખા નથી હોતા માટે ઔષધ-દવા-પણ દરેકને જુદી જુદી જ હોય છે.
- શુકલ ધ્યાનનું કમ દ્વાર-૨ મનને વિષય ત્રણ લેક છેઃ ઊર્વલક, અલેક અને તિરછલક. એ ત્રણ લેકની અંદર રહેલા પદાર્થો તે સર્વનું આલંબન-અવલંબન કરીને મન જીવે છે. અર્થાત, ત્રણ જગતના તમામ પદાર્થો એ મનનો ખેરાક છે. અમર આત્માને આશય અને અખૂટ ખોરાકનું પોષણ આ બે આલંબનાથી મન, જીવને વિવિધ પ્રકારની આકૃતિઓ ધારણ કરાવી ત્રણ જગતમાં અનેક સ્થાને ફેરવે છે.
આ વિસ્તારવાળા મનના વિષયને અનુક્રમે દરેક વસ્તુને ત્યાગ કરાવીને અર્થાત મનથી તે તે પદાર્થોનું ચિંતન નહિ કરવારૂપે મનને સંક્ષેપીને-સંકેચીને અનુક્રમે એક પરમાણુ ઉપર લાવી મૂકવું. ત્યાર પછી પણ પ્રયત્નવિશેષથી મનને પરમાણું ઉપરથી પણ દૂર કરી અંતઃકરણ વિનાની સ્થિતિ પ્રાપ્ત કરવી. શુકલધ્યાનના પહેલા બે પાયામાં મનની આવી સ્થિતિ કરી શકાય છે.
અહીં કોઈ શંકા કરે તેમ છે કે, ત્રણ ભુવનમાં ફરનારવ્યાપ્ત થનાર મનને સંક્ષેપીને ધ્યાન કરનાર એક અણુ ઉપર તેને કેવી રીતે લાવી શકે? અથવા કેવલજ્ઞાની તે અણુ ઉપરથી પણ મનને હઠાવીને અંતઃકરણ વિનાની સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org