________________
[ ૩૭૮ ]
ધ્યાનદીપિકા
ભાન ભુલાવનાર એક જાતને આગ્રહ છે પ્રારબ્ધ કર્મમાંથી શરીરને જે પુગળોની જરૂરિયાત હોય છે તે આવી મળે છે. તે માટે હર્ષ-શેક કરાય જ નહિ. અને તેમ કરાય તે આત્મભાન ભૂલવાને પ્રસંગ આવે છે.
પુદ્ગલિક વસ્તુ પિતાને જરૂરિયાતની હોય તેનાથી અધિક તમારી પાસે હોય તે તે, જરૂરિયાતવાળા બીજાને આપી દેવી, પણ મમત્વ ભાવથી સંચય ન કરો. આવી જ રીતે તમારી પાસે અધિક જ્ઞાન હોય, તો તે પણ ગ્ય અધિકારીને આપવું. તમે અન્ય પાસેથી લીધું છે, તમને બહારથી મળ્યું છે તે તમે અન્યને આપી દેશે તે જ તમને શાંતિ થશે. નહિ આપે તે અભિમાન વધશે અને નવું મળતું અટકશે. અન્યને આપ્યા પછી તેનું અભિમાન થતું નથી, કારણ કે તે એમ માને છે કે હવે તે મારા એકલા પાસે નથી, અન્ય પાસે પણ તે જ્ઞાન છે, નહિતર જ્ઞાનનું પણ અભિમાન થાય છે કે “હું જ જ્ઞાની છું, અને આ જ્ઞાન બીજા કેઈ પાસે નથી.” માટે યોગ્ય લેનાર મળી આવે તે આપવાને પણ ચૂકવું નહિ.
અવસર ચૂક્યા તે પછી પણ આપવું તે પડશે, પણ તે બિનઅધિકારી આગળ ઠલવાશે. તે તે લઈ શકશે નહિ. અથવા સદ્દઉપયોગ ભાગ્યે જ થશે. માટે અન્યને આપવું તેમાં જ સંતોષ માની યોગ્ય અધિકારી આગળ પિતાને ખજાને ખાલી કરે. વ્યવહારમાં પણ આવા પ્રસંગો બનતા નજરે દેખાય છે કે એક મનુષ્ય પોતાની મિલકતને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org