Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 401
________________ ધ્યાનદીપિકા [ ૩૬૫ ] — આત્મવિચાર સિવાય કાંઈ પણ કાર્ય કે વિચાર માટે અંતઃકરણમાં જગ્યા રાખવી જ નહિ. અહેનિશ તેનું શ્રવણ-મનન અને તેને આકારે પરિણમવા જ પ્રયત્ન ચાલુ રાખવા બીજા બધાં કાર્યને હાલ તુરત આત્મબળપ્રાપ્તિ થાય ત્યાં સુધી મુલતવી રાખવાં. છતાં જરૂરી પ્રસંગે તેમ કરવું પડે તે મનને તેમાં જોઈએ તેવું પરોવવું જ નહિ. તેમાં તે પર માત્માને જ બિરાજમાન કરી રાખવાનું બાકી વચન અને શરીર વડે જ કાર્ય કરવું. તેમાં પણ આસક્તિ રાખ્યા સિવાય પ્રવૃત્તિ કરવી. કર્યા સિવાય ચાલે તેમ નથી એટલે કરવું જોઈએ તેટલા ખાતર જ કરવું, પણ આસક્તિ રાખી ન કરવું. આમ કરવાથી ચાલુ કાર્ય જલદી સિદ્ધ થશે. | ધર્મધ્યાનને ઉપસંહાર एवं चतुर्विधध्यानामृतमनं मुनेर्मनः । साक्षात्कृतजगत्तत्वं विधत्ते शुद्धिमात्मनः ॥१७९।। આ પ્રમાણે ચાર પ્રકારના ધ્યાન રૂપ અમૃતમાં મગ્ન થયેલું મુનિનું મન, જગતના તત્વને સાક્ષાત્કાર કરીને આત્માની શુદ્ધિ કરે છે. ભાવાર્થ-પિંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત એમ આ ચાર પ્રકારના ધ્યાનમાં ધ્યાનરૂપ અમૃતમાં મુનિઓએ મનને મક્સ કરી દેવું, અથવા આસક્ત કરી દેવું–લય પમાડી દેવું. તેનું પરિણામ એ આવશે કે જગતમાં તત્વ શું છે? પ્રાપ્ત કરવા લાયક કે સારભૂત કઈ વસ્તુ છે? તેને નિશ્ચય આ ધ્યાનમાં મગ્ન થયેલું મન કરી આપશે. નિર્મળ થયેલું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436